Mysamachar.in-જામનગરઃ
દિવાળીને આડે હવે માત્ર ગણતરીના જ દિવસો રહ્યાં છે, તમામ લોકોએ નવા કપડાંથી માંડી ઘરવખરીનો સામાન ખરીદી લીધો છે. બાળકો ફટાકડા અને રમકડા ખરીદી હર્ષોલ્લાસ સાથે દિવાળીનો તહેવાર મનાવશે, જો કે સમાજમાં કેટલાક બાળકો એવા પણ છે જે માતા-પિતા વગરના છે જેઓ બાળ સંરક્ષણ ગૃહમાં રહે છે, અન્ય બાળકોને જોઇને તેમના મનમાં પણ સ્વાભાવિક ઇચ્છાઓ જન્મે છે, પરંતુ તેમનું કોઇ ન હોવાની દુઃખની લાગણી પ્રવર્તે છે. જો કે આવા સમયે જામનગર ક્લેક્ટર રવિ શંકરે આવા બાળકોની મદદ આવ્યા છે અને આ માયુસ બાળકોના મોઢા પર થોડું સ્મીત લાવવાનો પ્રયાસ કર્યો હતો. જામનગર સ્થિતિ બાળસંરક્ષણ ગૃહના બાળકોને પોતાની ઓફિસે ખાસ મુલાકાત અર્થે બોલાવ્યા હતા અને દિવાળીની ગિફ્ટ અને મીઠાઇ વહેચી હતી. આ દરમિયાન ક્લેક્ટર રવિ શંકરે એક બાળાને પોતાની ખુરશી પર બેસાડી દીધી હતી. ક્લેક્ટરની ખુરશી પર બેસતાની સાથે જ આ બાળાના મોઢા પર નિર્દોષ હાસ્ય ઉદભવ્યું હતું. સમાજ ભલે તિરસ્કારની નજરે જોતું હોય પરંતુ જામનગર ક્લેક્ટર રવિ શંકર જેવા અધિકારીઓ તેમને સંપૂર્ણ માન સન્માન આપી થોડી ખુશી આપવાના પ્રયાસો કરતાં હોય છે, જામનગર ક્લેકટર સાથે ખાસ મુલાકાત દરમિયાન અધિક ક્લેક્ટર રાજેન્દ્રસિંહ સરવૈયા પણ તેમની સાથે રહ્યાં હતા અને બાળકોને મીઠાઇ વહેચી હતી.