Mysamachar.in-જામનગર:
વર્ષ ૧૯૯૦ જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને નિવૃત PSI પ્રવિણસિંહ ઝાલાને કોર્ટે કલમ-૩૦૨ હેઠળ આજીવન કેદની સજા ફટકારતાં બંનેને જેલમાં મોકલવામાં આવ્યા હતા,ત્યારે આજે જામનગર જેલમાં રહેલ પ્રવિણસિંહ ઝાલાની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,જ્યાં તેની સારવાર ચાલી રહી છે.