Mysamachar.in-જામનગર
જામનગરની હદ વધી તેમા આજુબાજુના લગત ગામોની લગડી જમીન તો શહેરમા ભળી ગઇ બાકી ૩૨ ગામો જાડામા રહ્યાતેના ગામ તળમા મંજુરી લેવાની હોય પરંતુ ખાસ કંઇ કોઇ મંજુરી લે નહી અને જાડા સાવ ફ્રી છે તો સરકારે નવો ફતવો બહાર પાડ્યો કે ગ્રામ્ય વિસ્તારમા વીજ જોડાણ લેવુ હોય તો જાડાનુ એન ઓ સી લેવુ પડે છે, જાડા વિસ્તારના ગામોમાં ગ્રામ પંચાયતનું એનઓસી લઈ ઘર વપરાશ અને ઉદ્યોગના વીજ કનેકશન આપવાનો મામલો સમસ્યારૂપ હોવાથી ગ્રામજનોએ છૂટકારો આપવા માટે તાકિદે વીજ કનેકશન મામલે નિર્ણય લેવા સરકારમા રજૂઆત કરવી પડી છે.
જામનગર જિલ્લામાં જામનગર વિકાસ સત્તા મંડળ (જાડા)ના 32 જેટલા ગામો આવેલા છે. ઉર્જા વિભાગ દ્વારા ઘર વપરાશ અને ઉદ્યોગ માટે જાડાનું એનઓસી હોય તો જ નવા જોડાણ આપવાનો પરિપત્ર થયેલ છે. ખરેખર આ 32 ગામોમાં અગાઉ ગ્રામ પંચાયતનું એનઓસી આપવાથી વીજ કનેકશનો મળતા તે પ્રક્રિયા યોગ્ય રીતે ચાલી રહી હતી, પરંતુ જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળનું એનઓસી લેવું શકય નથી.
વળી ગામ ઘણા સમય પહેલા વસ્યું હોય અને સત્તામંડળની રચના બાદમાં થયેલ હોય માટે સત્તા મંડળની મંજૂરી લીધેલ ન હોય. ગ્રામ પંચાયતની જ મંજૂરી મેળવેલ હોય તેની સત્તા મંડળ એનઓસી આપી ન શકે જેવી વિસંગતતાઓને કારણે આ 32 ગામોના લોકોને વીજ કનેકશન લેવા ભારે હાલાકી ભોગવવી પડે છે. લોકોને પડતી મુશ્કેલી ધ્યાને લેવા અને ગ્રામ પંચાયતનું એનઓસી લઈ ઘર વપરાશ અને ઉદ્યોગના કનેકશનો આપવા તેવા ફતવા પરેશાની કરે છે