Mysamachar.in-જામનગર
જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશન ફરીથી પ્રિમોન્સુન કામગીરીના નામે માત્ર કેનાલો સાફ કરવામાં રૂપિયા અડધા કરોડથી વધુ રકમનું આંધણ થવાનુ છે, બીજી તરફ સડસડાટ કેનાલમા જવાને બદલે વરસાદી પાણી તો અનેક વિસ્તારોમા લોકોના ઘરમાં ઘુસે જ છે માર્ગો ઉપર ફરી વળે છે તેમજ ઠેર ઠેર ભરાયેલા જોવા મળે છે, ત્યારે આ ખર્ચ કેટલો યોગ્ય તે સવાલ સમીક્ષકોમાં છે,જામનગર શહેરમાં આગામી ચોમાસાને ધ્યાનમાં લઇને મહાનગરપાલિકાની સોલીડવેસ્ટ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં રૂા.53 લાખના ખર્ચે પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
મ્યુ.કોર્પોરેશન દ્વારા તા.15 મે થી શહેરના જુદા-જુદા વિસ્તારોના 10 ભાગ પાડીને શહેરના તળાવમાં રંગમતી નદીનું પાણી લાવતી લાલપુર બાયપાસ પહેલાના ખોડીયાર મંદિર પાસેથી તેમજ લાલપુર બાયપાસ પછીના સાધના કોલોની, એમઇએસ એરીયાથી પવન ચક્કી સુધીની કેનાલ, દિગ્વિજય પ્લોટ શેરી નં. 49ના છેડેથી બીએસએનએલ સુધી, વોર્ડ નં.6ના વિસ્તારમાંથી પસાર થતી કેનાલ, ગેલેકસી પાછળથી વેલનાથ નગર, ખાંડ બજારથી નાગનાથ ગેઇટથી સ્મશાન સુધી, ધુંવાવના નાકાથી બચુનરગથી સુભાષ બ્રિજ સુધી, વોર્ડ.નં.4માં ભીમવાસની કવર્ડ કેનાલ, વોર્ડ.નં.11માં નવનાલા બ્રિજથી નારાયણ નગરથી મોહનનગરની કેનાલ, બચુ પીપડીયાની વાડીથી ગુલાબનગરથી રેલ્વે પુલીયા સુધીની કેનાલ, વોર્ડ.નં.7મા એરફોર્સ-2થી મેર સમાજ સુધી, મેર સમાજથી બાવરીવાસ સુધી, પોલીસ હેડકવાર્ટર્સ પાછળના ગોલ્ડન સીટીથી કેવડીનદી સુધી, વોર્ડ.નં.4માં રામેશ્ર્વરનગર પાણીના ટાંકાથી વોર્ડ ઓફિસ સુધી, વોર્ડ ઓફિસથફી ગાંધીનગરના પાછળના વિસ્તાર સુધીની કેનાલ તેમજ સાત રસ્તા પાસે જાડાની ઓફિસથી અંબર ચોકડી સુધી અને ત્યાંથી નવાગામ ઘેડ સુધીની કેનાલની સફાઇનું કામ રૂા.53 લાખના ખર્ચે શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં 6 જેસીબી, 30 ટ્રેકટરો તેમજ 45 જેટલા મજુરો કામે લગાડવામાં આવ્યા છે.
હવે પ્રિમોન્સુન કામગીરીના છેલ્લા દસ વર્ષના પાંચ કરોડ જેટલા ખર્ચ સામે વાસ્તવિકતા જોઇએ તો સામાન્ય કે મધ્યમ વરસાદમાં જ રોડ ઉપર પાણી ભરાય સોસાયટીઓમા પાણી ભરાય ઘરમા ગંદા પાણી ઘુસે કેનાલોના ગંદા પાણી છલકે ગટરોના મેઈનહોલ ઉભરાય નદીઓના પાણી વધુ ગંદા થઇ ને જ્યા ત્યા ઘુસી જાય ગંદા વિસ્તારોમા કે ચોકમા ભરાયેલા પાણી જોવા મળે આ દરેક જગ્યાએ દર વખતે ચોમાસામા પાણીના ભરાવાથી ગંદકી એકઠી થાય અને ત્રાસ ફેલાય તે દરેક વખતે કોમન છે ત્યારે આ વખતે ફરીથી ઝડપી આટોપી લેવા શરૂ થયેલી કહેવાતી પ્રિમોન્સુન કામગીરી માટે ની આ જંગી રકમ કારગત નિવડે તો નિવડે બાકી તો રાબેતા મુજબ જ રહેશે,
-કોઈ લાલીયાવાડી નહિ ચાલે ડે ટુ ડે નો રીપોર્ટ મને સોંપવાનો છે: સ્ટે.ચેરમેન સુભાષ જોશી
હાલ જામનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જાતતપાસના આગ્રહી છે, તેવો એ આ મામલે કહ્યું કે કોઈ લાલીયાવાડી પ્રીમોન્સુન કામગીરીમાં નહિ ચાલે, દરરોજ શું કામગીરી કરવામાં આવી તેનો ડે ટુ ડે રીપોર્ટ મને સોંપવાનું મેં બ્રાંચ ને કીધું છે, વધુમાં હું પણ તપાસમાં જાઉં છે, અને જો કોઈ ક્ષતિ જણાશે તો કોન્ટ્રાક્ટર પાસે કામ ફરીથી તે જ કામ કરાવવામાં આવશે.