Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર જિલ્લામા 108 ઇએમઆરઇ ની ટીમ દ્વારા આકસ્મિક સંજોગોમા સેવા પુરી પાડે છે, અને હંમેશા લાઇફ લાઇન બને છે. ત્યારે 108 ના રેકર્ડ ઉપરથી ચિંતાજનક તારણ એ છે કે વર્ષમા 2800 થી વધુ રોડ એક્સીડન્ટ થયા જેમા 108 એ પહોંચવુ પડ્યું છે, એટલે કે રોજના આઠ ગંભીર આકસ્માત સર્જાય છે, આ સિવાય વાહન અથડાવવાથી વાહનોમા નુકસાન પડી જવાથી સામાન્ય છોલછાલ કે ફ્રેક્ચર જેમા 108 ની મદદ લીધા વગર સારવાર મરામતના બનાવો આથી ચાર ગણા હોય રોજના બે ડઝનથી વધુ બનાવ વણ નોંધાયેલા તેમજ વાહનના કારણે ઝઘડાના રોજના માત્ર શહેરમા જ રોજના પચાસથી વધુ બનાવ બનતા હોવાનુ સર્વેક્ષણમા બહાર આવ્યુ છે, તેમજ આમ પણ ટ્રાફીક સપ્તાહ વખતે જણાવ્યા મુજબ વર્ષમા ફેટલ એક્સીડન્ટ રોજના એક ની એવરેજ રહેતા સાડાત્રણસો થી વધુ જિંદગી વાહન અકસ્માતમા હોમાય જાય છે.
જિલ્લા હેડ જયદેવસિંહ જાડેજાના જણાવ્યા મુજબ જામનગરમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા વર્ષ 2008થી સેવા કાર્યરત છે.આકસ્મિક સંજોગોમાં 108 દ્વારા લોકોને સમયસર મદદ અપાઇ રહી છે.અકસ્માત અને અન્ય કોઇ આકસ્મિક બનાવોમાં તાત્કાલીક મદદ મળી રહે તે માટે જિલ્લામાં હાલ 14 ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે.વર્ષ 2019માં એક વર્ષમાં જામનગર જિલ્લામાં 38896 કેસમાં આકસ્મિક મદદ પુરી પાડી છે. અકસ્માત અને અન્ય કોઇ આકસ્મિક સંજોગોમાં તાત્કાલીક ઇમરજન્સી મદદ મળી રહે તેવા હેતુ સાથે રાજ્યમાં 2008થી 108 ઇમરજન્સી સેવા કાર્યરત કરવામાં આવી છે.સાથે સાથે જામનગર જિલ્લામાં પણ આ સેવા 2008થી કાર્યરત છે.હાલ જિલ્લામાં 24 ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે.જે 24 કલાક જિલ્લાના તમામ વિસ્તામાં ઇમરજન્સી કોલ મળતા દોડે છે.
એક વર્ષમાં કુલ 30896 કેસ મળ્યા હતાં.જેમાં પોલીસ ઇમરજન્સીના 244, મેડીકલ ઇમરજન્સી 30652, પ્રસુતાને લગતા 8805 કેસ,અકસ્માત 2808,છાતીમાં દુખાવાના 2564, શ્વાસ રૂંધાતા 1718ના કેસ એક વર્ષમાં 108ની ટીમને મળ્યા હતાં.તેમજ 220 જેટલી પ્રસુતાઓને એમ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી હતી.આમ,જિલ્લામાં 108 સેવા ઈમરજન્સી કેસમાં લોકો સદઉપયોગ કરી રહ્યા છે.
-3549 લોકોના જીવ બચાવાયા
અકસ્માત કે અન્ય કોઇ ગંભીર બનાવમાં ગંભીર ઇજા પહોંચેલા 3549 લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સમયસર જરૂરી તમામ સારવાર આપી તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં દાખલ કરી અમુલ્ય જિંદગી પણ બચાવવામાં આવી છે.સાથે સાથે તાત્કાલીક સ્થળ પર પહોંચી જરૂરી સારવાર પણ આપવામાં આવી રહી છે