Mysamachar.in-જામનગર
ના વરસાદ કે ના ભૂકંપ કે આવી કોઈ કુદરતી હોનારત નહિ ને…આજે જામનગર જીલ્લામાં વધુ એક પુલના કટકા થઇ જતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે, ભાદરા પાટિયાથી આમરણ તરફ જતા કેશીયા ગામ નજીક આવેલ પુલ તૂટી પડતા સદનસીબે કોઈ જાનહાની થઇ નથી, પરંતુ આ માર્ગ કચ્છને જોડતો હોય તે હાલ પુરતો પુલ તૂટી પડતા બંધ કરી દેવામાં આવ્યો છે.અધિકારીઓ એવો બચાવ કરે છે કે આ પુલ જુનો છે. માની લીધું કે પુલ જુનો છે તો સમારકામ કે નવો બનાવવાની દરખાસ્ત કરવાની જવાબદારી કોની..? જો કે સદનસીબે કોઈ જાનહાની ના થઇ થઇ હોત તો જવાબદાર કોન.?