Mysamachar.in-જામનગર
જામનગરમાં છેલ્લા બે દિવસથી લોકો બાઈક પર ડબલ સવારીમાં નીકળી રહ્યા છે, ખરેખર રાજ્યસરકાર દ્વારા આપવામાં આવેલ છૂટછાટમાં પણ બાઈક પર ડબલસવારીમાં પ્રતિબંધ છે, છતાં લોકો ડબલસવારીમાં ફરી રહ્યા હોય આજે જામનગર જીલ્લા પોલીસવડા શરદ સિંઘલે ચેતવણી આપતા કહ્યું હતું કે જો લોકો માનશે નહી અને આવતીકાલથી એક બાઈક પર ડબલ સવારીમાં હશે તો વાહન ડીટેઈન કરવામાં આવશે તેવી ચેતવણી આપી છે.