Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, પણ ઘરમાં સોરવતું ના હોય તેવા કેટલાક ઈસમો કોઈ પણ બહાનાઓ કાઢી અને ઘરની બહાર નીકળી અને રોગને આમંત્રણ આપી રહ્યા હોય તેવા બિન જરૂરી બહાર નીકળનાર લોકો સામે જામનગર અને દેવભૂમિ દ્વારકા પોલીસે તવાઈ બોલાવવાની શરૂઆત કરી છે, અને ડ્રોન કેમેરા ઉપરાંત ચેકિંગ પોઈન્ટ બનાવી અને બિનજરૂરી બહાર નીકળનાર લોકો વિરુદ્ધ ગુન્હાઓ નોંધવામાં આવી રહ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં જ જામનગર પોલીસે કલમ 188 એટલે કે જાહેરનામાં ભંગ કરનાર 52 અને દેવભૂમિ દ્વારકા પોલીસે 37 ઈસમો વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી અટકાયતી પગલાઓ લીધા છે.