Mysamachar.in:જામનગર:
જામનગરમા રણજીતસાગર રોડ પરની મોદી સ્કૂલ મંજુરી વગર ધમધમતી હતી જે સંચાલકોની હદ બહારની હિંમત અને જિલ્લા શિક્ષણ વિભાગની હદ બહારની તરફેણ છતી કરે છે ત્યારે આવી સાંઠગાંઠ થી જિલ્લામા ગેરકાયદેસર ચાલતી સ્કૂલો કેટલી? તે તપાસનો વિષય છે જો કે આવા અમુક કિસ્સાઓ mysamachar ને સાંપડ્યા છે જે ખરાઇ કર્યે વ્યાપક જનહિતમા જાહેર પણ થશે પરંતુ બીજી આવી સ્કુલો હાલારમાં કેટલી તે તપાસ માંગતી બાબત એટલે છે કે હાલારમા તાજેતરમા કાલાવડમા આવી એક સ્કુલ તપાસ બાદ કરવામા આવી અને બીજી સ્કુલવાળા લોક કરી બોર્ડ ઉતારી નાસી છુટેલા ત્યારે હવે આવી તપાસ થવી ઘટે છે.
સ્ટાફ નથી નું ગાણું ક્યાં સુધી ગાશે શિક્ષણાધિકારી.?
જયારે પણ આવી ગેરકાયદેસર શાળાઓ અંગેની રજુઆતો જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કરવામાં આવે ત્યારે સ્ટાફ નથી નું ગીત ગાઈને મુદ્દો ટાળી દેવાનો સકારણ પ્રયાસ કરવામાં આવે છે, મોદી સ્કુલમાં જામનગર કચેરીએ પરાણે પગલા લીધાનું સામે આવે છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓ અવાજ ઉઠાવે આગળ આવે.
જામનગર શહેર અને જીલ્લામાં કેટલીય ખાનગી શાળાઓ વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે બનાવટ કરે છે, ત્યારે વાલીઓમાં જાગૃતતા નો ખુબ મોટો અભાવ જોવા મળે છે, માટે શાળાઓ જો શોષણ કરે, નિયમવિરુદ્ધ જાય તો જાગૃત વાલીઓએ પણ આગળ આવવું તે નૈતિક ફરજ પણ છે.