Mysamachar.in-ગાંધીનગર
રાજ્યમાં એક તરફ કોરોના મહામારીનું સંકટ યથાવત છે, તો બીજી બાજુ ગુજરાત પર કુદરતી આફતનું સંકટ તોળાઈ રહ્યું છે, અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. જેના કારણે રાજ્યમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. જેને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગરમાં હાઈપાવર કમિટીની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીએમ રૂપાણીએ સંભવિત દરિયાઈ વાવાઝોડાની સ્થિતિની વિગતો મેળવી છે.અને જે બાદ તેવોએ મીડિયા સાથેની વાતચીતમાં સરકારની સંભવિત આફતો સામે કેવી તૈયારી છે અને લોકોએ કેવી તકેદારી રાખવી તે અંગે કેટલીક બાબતો મીડિયા સમક્ષ મૂકી હતી,
અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરને રાજ્ય પર વાવાઝોડાનું સંકટ વધ્યું છે. સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે સીએમ રૂપાણીની અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસુલમંત્રી કૌશિક પટેલ અને મહેસુલ અધિ મુખ્ય સચિવ પંકજ કુમાર પણ હાજર રહ્યાં હતા. મુખ્યામંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં વાવાઝોડા આગામી 3 તારીખે સંભવિત વાવાઝોડું આવવાની શક્યાતા છે. 2 તારીખે મોડી રાત્રે એટલે કે 3 તારીખ વેહલી સવારના વાવાઝોડું આવી શકે છે. આ વાવાઝોડું મહારાષ્ટ્ર પાસેથી પસાર થશે તેવી સંભાવના છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને હાઇએલર્ટ કરવામાં આવ્યા છે. વધુમા ભાવનગર અને અમરેલી જિલ્લાને પણ હાઈએલર્ટ આપવામાં આવ્યા છે. સંભવિત વાવાઝોડા સાથે વરસાદની શક્યતા પણ જોવાઈ રહી છે, સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની પૂરતી શક્યતા છે. સંભવતિ જિલ્લાઓના કલેકટરો સાથે હાઈ પાવર કમિટીની બેઠક કરી છે. દક્ષિણ ગુજરાત અને ભાવનગરને હાઇએલર્ટ કરવામાં આવ્યા છે.દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના જિલ્લાના માછીમારોને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. અગરિયાઓને પણ ખસેડી લેવામાં આવ્યા છે. ઝીંગા ફાર્મમાં કામ કરતા લોકોને પણ ખસેડવાની સૂચના આપવામાં આવી છે. લો લાઇન એરીયાના તમામ લોકોનું સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો છે.
સંભવિત વાવાઝોડાના કારણે સૌથી વધુ અસર ઇલેક્ટ્રિકસીટી પર થતી હોય છે. જેને લઇ ડિપાર્ટમેન્ટને પણ હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે. હેલ્થ વિભાગના લોકોને પણ વિશેષ કાળજી માટે કહેવામાં આવ્યું છે. પેશન્ટોની ખાસ વિશેષ જાળવણી કરવાની તકેદારી રાખવામાં આવશે. માર્કેટિંગ યાર્ડમાં અનાજ બગડી ન જાય એટલે આખા ગુજરાતના બધી વસ્તુઓ સલામત જગ્યાએ ખસેડી લેવામાં આવે અથવા પ્લાસ્ટિક ઢાંકી દેવામાં આવે.3 અને 4 તરીખે જરૂર પૂરતું જ બહાર નિકળે તેવી દક્ષિણ ગુજરાત અને ભાવનગરના લોકોને અપીલ કરવામાં આવી છે. જે ગંભીર રોગથી પીડાય છે તેવા વૃદ્ધો અને બાળકો આ બે દિવસ વિશેષ કાળજી રાખે તેવી એપીલ કરવામાં આવી છે
પવન, વરસાદ અને સંક્રમણને કારણે કોઇ મુશ્કેલી ન પડે તેની કાળજી લેવી. બચાવકાર્ય માટે એનડીઆરએફ કામે લગાડી છે.એસડીઆઇએફની પાચ ટીમ દક્ષિણ ગુજરાતમાં સ્ટેન્ડ ટુ પર મૂકવામાં આવી છે. કોઈનું મૃત્યુ ન થાય એ દિશામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કામે લાગ્યું છે. વાવાઝોડામાં 110થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. લો લાઇન એરિયામાં સ્થળાંતર માટે કલેકટરને જવાબદારી સોપવામાં આવી છે. રાજ્યના છ જિલ્લાઓ સૌથી પ્રભાવી વાવાઝોડાના કારણે થશે તેવી શક્યતાઓ છે.