Mysamachar.in:જામનગર:
જામનગર નજીક આવેલ સચાણા ગામે આજે સવારે બે જૂથ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જે ઘટના ઘટી તેમા બન્ને જૂથના કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે,તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જી.જી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.બનાવની જાણ થતા પોલીસકાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તારણમાં જમીન બાબતે ચાલતા ઝઘડામાં આ અથડામણ થયાનું સામે આવે છે, પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.