Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યમા ડેંગ્યુનો સૌથી વધુ પ્રકોપ જામનગરમા છે, તે સરકારે સ્વીકાર્યુ છે તેમજ સહાય પણ કરી છે છતા ડેંગ્યુ કાબુમા તો આવતો જ નથી કેમકે ઇન્ફેક્શન કંટ્રોલની કોઇ સીસ્ટમ જ કામ નથી કરતી, સરકારની સતાવાર જાહેરાત મુજબ જામનગર શહેર અને જિલ્લો હાલ ડેન્ગ્યુ રોગચાળાનું ઘર બની ગયો હોય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે. આરોગ્ય વિભાગની સતત કામગીરી છતાં પણ આ વર્ષ થયેલ પુષ્કળ વરસાદના કારણે જામનગરમાં ડેન્ગ્યુ રોગના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે જામનગર જિલ્લાની પરિસ્થિતિ પૂર્વવત કરવા, ડેન્ગ્યુના રોગચાળાને નાથવા માટે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અગાઉ જી.જી.હોસ્પિટલના ડોકટર્સ તેમજ અન્ય નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
જે અન્વયે વધુ સ્ટાફની જરૂરિયાત અને અન્ય નાણાકીય બાબતોની માંગ પણ હતી.આ માંગણી અંગે રાજયમંત્રી દ્વારા ગાંધીનગર રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જે બાબતે સરકાર દ્વારા જામનગરને ડેન્ગ્યુ-મુક્ત કરવા માટે જી.જી. હોસ્પિટલ ખાતે વધુ ૫૭ મેલ ફિલ્ડ વર્કર, ૩ મેલ સુપરવાઇઝર, આણંદથી ડો.આલોક મેલેરિયા ઓફિસરને જામનગર ખાતે, લાલપુરથી ડો.કુડેચા તાલુકા હેલ્થ ઓફિસરને જામનગર ખાતે, ૧ સ્ટેટ બાયોલોજિસ્ટ અને મેલેરિયા ઓફિસર તેમજ નાયબ નિયામક એપેડેમીક ડો. દિનકર રાવલ ને માર્ગદર્શન આપવામાં માટે જામનગર નિયુક્તિ કરવામાં આવી છે.
તેમજ રાજ્ય સરકાર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ તાપી અને નવસારીના કુલ ૨૪ એમબીબીએસ મેડિકલ ઓફિસરને હાલ જામનગર અને દ્વારકા જિલ્લામાં ફાળવેલ છે. જે આવતીકાલ સવારથી જ ફરજ પર જોડાઇ જશે. તદુપરાંત સરકાર દ્વારા હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ નંદિની બાહરીને આરોગ્ય અંગે રૂપિયા ૫૦ લાખની ગ્રાન્ટ આપી અને વાપરવાની સત્તા આપી પણ સરકાર દ્વારા આપવામાં આવી છે, રાજ્ય સરકાર દ્વારા જામનગરની પરિસ્થિતિ ઉપર સતત મોનિટરિંગ કરવા અને માર્ગદર્શન આપવા માટે સિનિયર પબ્લિક હેલ્થ એક્સપર્ટ નાયબ નિયામક અપેડેમીકને જવાબદારી સોંપવામાં આવી અને તેઓને જામનગર મહાનગરપાલિકા ખાતે હાલ ફરજ પર મૂકવામાં આવ્યાં છે, આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા મેનપાવર, દવાઓ, ગ્રાન્ટ વગેરે માટે તેમજ રોગચાળાને નિયંત્રિત કરવા માટે અધિક નિયામક આરોગ્યને મોનીટરીંગ કરવાની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.
આ તમામ વ્યવસ્થા છતા ડેંગ્યુ બેકાબુ છે, એક તો જી.જી હોસ્પીટલમા જ એટલા મચ્છર ગંદકી છે કે સાજા લોકો દર્દી સાથે ગયા હોય મુલાકાતી હોય તેને ચેપ લાગવાની શક્યતા છે, બીજુ ડેંગ્યુ વોર્ડ સહિત સમગ્ર પણે સરકારી ખાનગી હોસ્પીટલના અંદર બહાર બાથરૂમ વોર્ડમા જંતુનાશક સતત વપરાતા નથી પુરતા કપડા પહેરવા મચ્છરનાશક દવા વાપરવી વગેરે અનેક જાણકારીથી ઘણા લોકો અજાણ છે, તેમજ બેદરકારી કહો કે આળસ લોકો તાવ આવે તો ત્રણ ચાર દિવસ કાઢી નાખે છે પછી હોસ્પીટલ જાય છે, ત્યા ઇન્ફેક્શન ભરડો લઇ જાય છે,
ઉપરાંત એક વ્યક્તિને ડેંગ્યુ થાય તો અટકાયતિ પગલારૂપે દરેક સભ્યને રોગ પ્રતિકારકતા વધે તેવી દવા અપાતી નથી કે તે તમામના સમયસર રિપોર્ટ કરાવાતા નથી આવી અનેક બાબતો ઉપરાંત દર્દી રહે છે ત્યા કેવુ વાતાવરણ છે એવી અનેક બાબતો તંત્ર સારવાર સાથે અમલમા મુકતુ નથી જેની તાતી જરૂર છે નહી તો આટલી વ્યવસ્થા બાદ ડેંગ્યુ વધે નહી ઘટે નહિ પરંતુ ચેપ લાગવાની રોગપ્રતિકારકતા વધારવી સફાઇ સઘન ફોગીંગ નિયમિત અને લોકજાગૃતિ પુરેપુરી છેવાડાના લોકો સુધી નહિ આવે તો પરિસ્થિતિ વધુ બગડશે તેમ પણ તબીબીક્ષેત્ર્ના જાણકારો વાતચીતમાં ઉમેરે છે.