Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં આજે સાંજે 6:૩૦ સુધી એટલે કે આ લખાય છે ત્યાં સુધીમાં કુલ 33 દર્દીઓ કોરોના પોજીટીવ નોંધાયા છે. જેમાંથી બે બાળકોના મોત અત્યારસુધીમા થયા છે, અને 29 દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે, ત્યારે આજે જામનગર માટે સારા સમાચાર એ કહી શકાય તે છે કે જે દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા તે પૈકીના ૩ દર્દીઓને રજા આપવામાં આવી છે, એટલે કે તે હવે તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને તે સ્વસ્થ બન્યા છે.આમ જામનગર માટે આ ૩ દર્દીઓનું સાજા થઈને હોસ્પીટલમાં થી રજા મળવી તે સારી બાબત છે, પણ હજુ પણ લોકો જરૂરી સાવચેતી રાખે તે જરૂરી છે.