Mysamachar.in-જામનગર:
જામનગર પંથકના ઉદ્યોગો જીએસટીથી તોબા પોકારી ગયા છે, અને રીફંડમાં રીટર્નમા અનેક પ્રશ્ર્નો હજુ યથાવત છે, રીફંડમાં ધાંધિયાથી શહેરના ધોરીનસ સમાન બ્રાસઉધોગને મરણતોલ ફટકો પડયો છે, તો જીએસટીના કાયદામાં સતત નીત નવા સુધારાથી વેરા પ્રક્રિયા સરળને બદલે વધુ જટીલ બનતા વેપારીઓ અને ઉધોગકારોમાં રોષ પ્રર્વતી રહ્યો છે, વેપારી સંસ્થાઓ અને ફેકટરી ઓનર્સ એસો.ના સભ્યો જીએસટીના કાયદામાં પડતી મુશ્કેલીઓ સબબ ફરિયાદો કરતા જ રહે છે કેમકે સતત નીત નવા સુધારાના કારણે વેપારીઓ અને ઉધોગકારોને રીર્ટન ભરવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે.આટલું જ નહીં 18 ટકા જીએસટી અને રીફંડના ધાંધિયાથી જામનગરના ધોરીનસ સમાન બ્રાસઉધોગને મરણતોલ ફટકો પડયો હોય મુશ્કેલી નિવારવા યોગ્ય પગલાં લેવા માંગણી થતી જ રહે છે.
બ્રાસસીટી તરીકે ઓળખાતા જામનગરના બ્રાસઉધોગમાં નિકાસ કરતા ઉધોગકારોને જીએસટીના રીફંડ સમયસર નહીં મળવાને કારણે ઉધોગકારોની કાર્યશીલ મૂડી મોટા પ્રમાણમાં સરકારમાં રોકાઇ જતાં તેના પર મોટું આર્થિક ભારણ આવી પડે છે.વળી બ્રાસપાર્ટસ હાલ 18 ટકા જીએસટી સ્લેબમાં આવે છે.રો-મટીરીયલની કોસ્ટીંગ ઉંચી હોવાથી અને તેના પર 18 ટકા જીએસટીથી તૈયાર માલની પડતર ઉંચી પડે છે.આથી બ્રાસપાર્ટસનો લઘુતમ સ્લેબના દરમાં સમાવેશ જરૂરી છે, તેવો અભિપ્રાય છે,
ઓનલાઇન જીએસટી રીર્ટન ભરવામાં વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.માટે મહીનામાં એક જ કલીકમાં તમામ રીર્ટન એકસાથે ભરાય જાય તે પ્રકારની સીસ્ટમ ખૂબજ જરૂરી છે.નવા મોડયુઅલમાં પણ ક્ષતિઓ છે કારણ કે રીર્ટન અને પેમેન્ટની તારીખ એક છે.વળી,જૂના મોડયુઅલમાં કે જેમાં વન-વે સીસ્ટમ હતી ત્યારે ઓનલાઇન સીસ્ટમ મહીનામાં ત્રણ થી ચાર વખત બંધ રહેતી હોય નવા મોડયુઅલમાં ટુ વે સીસ્ટમ કામ કરશે કે કેમ તે એક સવાલ છે.માટે આ બાબતે યોગ્ય પગલાં લેવા જરૂરી છે.
-રિટર્ન ભરવાની પ્રક્રિયા એકદમ સરળ હોવી જરૂરી
જીએસટીનું રીર્ટન ભરવાની પ્રક્રિયા એકદમ સરળ હોવી જરૂરી છે.કારણ કે હાલમાં રીર્ટન ભરવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે.વળી,કાયદામાં પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ પ્રર્વતી રહી છે.કારણ કે,માલ વેંચનાર જીએસટી ન ભરે તો માલ ખરીદનાર વેપારીને દંડ ભરવો પડે છે. માટે આ અંગે તાકીદે સુધારા જરૂરી છે.જીએસટીના કાયદાના અમલીકરણ બાદ રીર્ટન ભરવાની પ્રક્રિયા તથા જીએસટીના કાયદામાં સતત નવા સુધારાના કારણે સરળતાને બદલે ગૂંચવણ વધી છે.આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઇ નકકર ઉકેલ આવ્યો નથી