Mysamachar.in-જામનગર
હાલ જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીને નામે રૂ.53 લાખનો ખર્ચ મંજૂર થયેલ છે. અગાઉ મનપા દ્વારા આવા ખર્ચો થયા છે. પણ માત્ર ને માત્ર કાગળ ઉપર જ કામગીરી થાય છે, જમીન ઉપર કયાય કામ થાતું નથી આ વખતે પણ પ્રિ.-મોન્સુનની કામગીરી ચાલુ છે. ત્યારે વોર્ડ ના 12 ના કાલાવડ નાકાબહાર આવેલા રંગમતી સોસાયટી, કાલાવડ બ્રિજ, બાબુ અમ્રત નોવાડો, મોરકંડા રોડ સનસીટી -2 થી રાજ સોસાયટી રાજ સોસાયટી થી કલ્યાણ ચોક સુધી ના તમામ વિસ્તારો કે જ્યાં ગયા વર્ષે પણ પ્રિ મોન્સુનની કામગીરી ફકત કાગળ ઉપરજ થઈ હતી અને ઉપરોકત વિસ્તારો મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા
આ તમામ વિસ્તારમાંના બાબુ અમ્રતના વાડા પાસે તો ગળા ડુબ જેટલા પાણી ભરાયા હતા અને લોકોના લોકો ઘર પાણી ભરાયા હતા, આ વર્ષે પણ ચોમાસુ નજીક છે છતાં આ વિસ્તારો માં અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ ચોકકસ સર્વે કરવાંમાં આવેલ નથી જે સાબિત કરે છે. પ્રિ મોન્સુન ના નામે ચાલતી કામગીરી હકીકતમાં માત્ર ને માત્ર અધિકારી અને કોન્ટ્રાકટરની મિલીભગત થી કાગળ ઉપર જ કામગીરી થાય છે. જો આ વર્ષે પણ ગંદા નાળા ભૂગર્ભ ગટરો અને ગદકી સાફ સફાઈ કરવામાં નહીં આવે તો તંત્ર ના વાકે લોકોને મુશ્કેલી વેઠવી પડશે અને ગંદકીના લીધે અસંખ્ય લોકોનું આરોગ્ય જોખમાશે કોરોના જેવી મહામારીના સમયમાં ફરી ઘરે ઘરે માંદગીના ખાટલા મંડાશે તેવી દહેશત પણ મનપાના પૂર્વ વિપક્ષ નેતા અને કોર્પોરેટર અસ્લમ ખીલજી દ્વારા વ્યક્ત કરાઈ છે.
અત્યારે જામનગર શહેરમાં જે અન્ય જગ્યા ઉપર પ્રિ મોન્સુનની કામગીરી થયેલ છે. તેમા પણ લોટ પાણી અને લોકડા જેવી થયેલ છે. નકકર કામગીરી કયાય કેનાલોમાં થયેલ નથી અને મલેરિયા ની દવાનું છટકાવ પણ કરેલ નથી.આમ જો નક્કર કાર્યવાહી નહિ થાય તો ભારે વરસાદ આવશે ત્યારે પરિણામ શૂન્ય મળશે અને તેના માટે કોણ જવાબદાર રહેશે તેવો વેધક સવાલ પણ અસ્લમ ખીલજીએ ઉઠાવ્યો છે.