Mysamachar.in-જામનગર
ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીએ લોકડાઉન પાર્ટ-4માં છૂટછાટની જાહેરાતો કરતી વેળાએ એસ.ટી.બસો પણ શરુ થઇ જશે તેવી જાહેરાત કરી હતી, પણ એ જાહેરાત બાદ એસ.ટી.વિભાગને તો જાણે કાઈ લેવાદેવા ના હોય તેમ આજે સમગ્ર સૌરાષ્ટ્રમા એસ.ટી.બસો શરુ થયાનું સામે આવ્યું નથી, આ માટે એસટી ડેપો અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ હોય તેવું વર્તાઈ આવે છે, આજે એસ.ટી બસ ચાલુ થવાની હોવાથી સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ સહિતના કેટલાય એસટી બસસ્ટેન્ડમાં સવારે લોકો આવી ગયા હતા. પરંતુ એસ.ટી બસ શરૂ ન થતા નિરાશ થઇ પરત ફરવાનો વારો આવ્યો હતો. અને એસટી બસ સ્ટેન્ડ સૂમસામ જોવા મળ્યું હતું. તેમજ પેસેન્જર પૂછપરછ બારીએ આવી પૂછવા આવી રહ્યા હતા. પરંતુ એસટીના કર્મચારીઓ દ્વારા સેવા શરૂ ન થઇ હોવાનું કહેવાતા લોકો પરત ફરી રહ્યા હતા.
જામનગર એસ.ટી.વિભાગીય નિયામક મુકેશ રાવલને મીડિયાથી એલર્જી છે માટે તેવો ક્યારેય પુરતી માહિતી લોકોના હિતમાં આપતા નથી, આજે પણ તેવોએ અધુરી વાત કરતા માત્ર એટલું જ કહ્યું કે અમે મધ્યસ્થ કચેરીમાં અહેવાલ મોકલ્યો છે, કહેશે ત્યારે ચાલુ કરીશું, ક્યારે ચાલુ થશે કે આ અંગે મુસાફરો ને અવગત કરવાની પ્રશ્નનો જવાબ આપવાનું તેવોએ રાબેતામુજબ જવાબો આપવાનું ટાળ્યું હતું, પરંતુ એસ.ટી.વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ એકાદ દિવસમાં જામનગર જીલ્લામાં આંતર જીલ્લા એસ.ટી.બસ સેવા શરુ થશે અને જો શરુ થઈ જાય તો તે લોકહિતમાં કહેવાશે.