Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર રચના નંદાણીયા દ્વારા બે દિવસ પૂર્વે એસ્ટેટ અધિકારીની ચેમ્બરમાં ગરીબ રેકડીધારકોને રેકડી રાખવા દેવાના મુદ્દે અધિકારીઓ અને કર્મચારીઓ પરેશાન કરતાં હોવાની રજૂઆત કરી હતી,અને ધોકા વડે અધિકારીની ચેમ્બરમાં ઘુસી જઈને ફાઈલોને આડેધડ ઉલાળી દીધી હતી,આ ઘટનામાં મોડે-મોડે પણ અધિકારીઓ અને કર્મચારીઓમાં એકતા જોવા મળી છે,
આજે જામનગર મહાનગરપાલિકાના ટેકનિકલ કર્મચારી યુનિયન દ્વારા કમિશ્નરને આ મામલે રજૂઆત કરવામાં આવી છે,અને રચનાબેન સામે સિક્યુરિટી વિભાગ ફરિયાદ નોંધાવે અને કાયદાકીય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે,જો કે અધિકારીની ચેમ્બરમાં આવા વર્તન બાદ કમિશ્નરે એક્શન મોડમાં આવવાને બદલે ઉલટું કમિશ્નર એસ.એ.પટેલ આ મામલે મૌન ધારણ કરી લીધું હોય તેમ લાગે છે.