Mysamachar.in-જામનગર:
લોકસભાના બજેટ સત્રના બીજા તબક્કામાં પ્રસ્તુત થયેલા "ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ બીલ-2020" ના સમર્થનમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે અસરકારક છણાવટ કરી હતી અને જામનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીની અગત્યતા રજૂ કરી હતી. ભારતની પ્રાચીન આયુર્વેદીક ચિકિત્સા પધ્ધતીના શિક્ષણ અને સંશોધનનું મહત્વ તેમજ ઉપયોગીતાની બાબતે લોકસભામાં વિસ્તાર પૂર્વક રજૂઆત કરી આ બીલ સમર્થનમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યુ હતું કે આ બીલથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં આપણી પ્રાચીન ચિકિત્સા પધ્ધતીના શિક્ષણ અને સંશોધનનો વ્યાપ વધશે.. અને વિશ્વસ્તરે આ વૈકલ્પિક ચીકીત્સા પધ્ધતી વૈજ્ઞાનિક ઢબે એક અધતન સ્વરૂપ લઈ સ્વીકૃત થશે તેવો પ્રબળ આશાવાદ વ્યકત કર્યો હતો.
સાંસદે આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિમાં વિવિધ આયામો અને મહત્વતા અંગે જણાવ્યુ હતું કે આ પધ્ધતી એ આપણું ગૌરવ છે. અને વર્ષોથી તેનું મહત્વ પ્રસ્થાપીત થયેલું છે. આ પરંપરાગત પ્રાચીન ચિકિત્સા પધ્ધતી રોગના કાયમી નિરાકરણ માટે કોઈપણ જાતની આડઅસર વિના અસરકારક રીતે ઉપયોગી રજૂ થયેલ બીલ લોકકલ્યાણના ઉદેશને સાર્થક કરનારું અને ગુજરાત તથા જામનગર જિલ્લાને ગૌરવ અપાવનારૂ હોય જેને ભારપૂર્વક આવકારતા 12-જામનગર લોકસભા સંસદીય વિસ્તારમાં કાર્યરત જામનગર ની ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીની બાબતે મહત્વની છણાવટ કરી પૂનમબેન માડમે ઉમેયું હતું કે ભારત સરકારના સહયોગથી આ યુનીવર્સીટીનાં શિક્ષણ અને સંશોધનને વૈશ્વિક કક્ષાએ સ્વીકૃતિ મળી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરેલ.