Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
સમગ્ર રાષ્ટ્રમા લોક ડાઉન છે એટલે કે માત્ર ને માત્ર અતિ આવશ્યક છે તેવી કોઇ બાબત માટે જ બહાર નીકળવુ, આ સ્થિતિ ને હળવાશથી ન લેવી કેમ કે એક થી વધુ લોકો એકત્રીત થવા લાગે તો કોરોનાના સંક્રમણની શક્યતા વધે છે, એકબીજાના શ્વાસોશ્વાસ ખુબ નજીકથી એકબીજામા જાય તો ખબર જ ન રહે એનુ કારણ એ છે કે માત્ર કોરોના જ નહી પરંતુ શરદી ફ્લુ જેવા રોગના વાયરસ ના કેરિયર કોઈ પણ હોય તેને પોતાને પણ તે ખબર ન હોય અને જાણતા અજાણતા સંક્રમણ કરી બેશે માટે જરૂર પડ્યે બહાર જવુ પડે તો પણ ડીસટન્સ જાળવવુ ખુબ જરૂરી છે,
ઘરમા પણ બધા જ વ્યક્તિ એક સાથે બેસે એના કરતા છુટા-છુટા બેસે તે જરૂરી છે, જોકે બહાર જવાનુ ટાળી લોકડાઉનનુ ચુસ્ત પાલન જ આ કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે માટે લોકડાઉન મજાક નહી ગંભીર બાબત સમજી પાલન કરવુ ફરજીયાત છે, અને લોકોની હેલ્થ જાળવવા તંત્ર એ કડક થઇ કાયદાનુ શસ્ર ઉગામવુ પડ્યુ છે એથી મોટી ગંભીરતા કઇ હોઇ શકે?
ખાસ કરીને લોકડાઉન વધશે કે ઘટશે? તેની ચર્ચા કરવાનુ અસ્થાને છે છતા લોકો એ જ ચર્ચા કરે છે કે હજુ લોકડાઉન વધશે આકરૂ થશે વાયરસ કંઇ એમ નહી જાય…વગેરે ચર્ચાનો કંઇ અર્થ નથી કેમકે હાલ હવામાનના બદલે શ્વાસની નીકળતી હવા જોખમી બની શકે તેવા માહોલમા સોશ્યલ ડીસ્ટન્સીંગ સાવચેતી અને નિયમો પાલન સિવાય કોઇ રસ્તો જ નથી માટે ઘરમાં રહો સુરક્ષિત રહો.