Mysamachar.in-જામનગર
લોકડાઉનમા મોટાભાગના લોકોને ઘરમા જ રોજનો ખાસ્સો સમય રહેવાનુ થયુ અને તેના કારણે ઘરમા સોશ્યલ ડીસ્ટન્સ ન રહે તે સ્વાભાવિક છે, પરંતુ જે પરિવારોમા ઝઘડા સામાન્ય બની ગયા છે તેમને ત્યા તો લોકડાઉનમા વાસણો એટલા ખખડ્યા કે આડોશ પાડોશને ત્રાસ થાય કોઇએ સમજાવવા જવુ પડે તો ક્યારેક મારકુટ સુધી પણ બાબતો બની હતી, પરિવારના સભ્યોને એક સાથે ઘરમા રહેવાની તક મળી તેવો પોઝીટીવ અર્થ લેવાના બદલે વિજ્ઞાનના અપાકર્ષણના નિયમ મુજબની સ્થિતિ ઘણા પરિવારોમા બની તેમ સમાજશાસ્રીઓના સર્વેનુ તારણ નીકળે છે,
મનોવૈજ્ઞાનિકોના મતે સમજણના અભાવ સ્થિતિ સાથે સમાધાન ન કરનાર આર્થિક ભીંસ કામકાજ કે પ્રવૃતિઓના અભાવ તણાવ ટેન્શન વગેરે કારણોસર ઝઘડા થાય મારકુટ થાય તો વળી સમાજમા ઓળખિતા અજાણ્યા તેમજ આડોશી પાડોશીઓ સાથે કે અવરજવર દરમ્યાન પણ માથાકુટો થાય ક્યારેક તે ગંભીર બને છે અને ખરેખર જામનગરમા આવુ ઘણુ જ બન્યુ હજુ પણ ક્યાક ક્યાક બનતુ હશે, અનેક કિસ્સાઓમા આ રીતે સોશ્યલ ડીસન્ટન્સ જાહેરમા જાળવવાના બદલે પરિવારોના સભ્યો કે આડોશી પાડોશી સાથે જ સોશ્યલ ડીસ્ટન્સ થઇ જવા માંડ્યા આ દુરી સંવાદ કે વિસંવાદોથી પણ થઇ તો ક્યાક સાવ ન બોલવાથી થઇ તો ક્યાક ભુખ અને ભીંસથી પણ થયાના તારણો છે.