Mysamachar.in-જામનગર:
જામનગરમા અત્યાર સુધી સાડા ત્રણ હજાર આવાસ બનાવાયા પરંતુ નબળા આવાસ બનાવવાની પરંપરા તંત્રએ જાળવી છે, કેમકે આવાસ બનાવવાના સ્પેશીફીકેશન અને તૈયાર થયા મુજબ ઇન્સ્પેક્શનના રિપોર્ટ કોઇ માંગતુ જ નથી, જામનગરમાં લાલવાડી રોડ પાસેની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નબળું બાંધકામ કરી ભ્રષ્ટાચારનો આક્ષેપ ખુદ રહેવાસીઓએ કરી તપાસ કરવા કમિશ્નરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં બારી, દરવાજા, ઇલેકટ્રીક, નળ ફીટીંગ, લીફટમાં હલકી ગુણવતાની વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યાની ફરિયાદ તાજેતરમા ઉઠી હતી, તેવી જ રીતે શરૂ સેક્સન રોડ પરના આવાસમા પાણી ની મોકાણ છે કેમકે પાણીની લાઇન ૨૦૦ એમ એમના બદલે સાવ ઓછી પહોળાઇની નાંખતા પાણી પુરા ફોર્સથી લોકોને મળતુ જ નથી, તો વળી અમુક આવાસમા સિક્યોરિટી પુરતી નથી તેથી લેભાગુ ફેરિયાના સ્વાંગમા ઘુસે છે તો ઘણી જગ્યાએ નાના મોટા બાગ કે કેમ્પસમા આવારા તત્વોના અડીંગા છે સફાઇની કાળજી નથી… આવી તો અનેક ફરિયાદો છે જેથી મને કમને રહેતા ગરીબ લોકોને ક્યા જવુ તે મુસીબત છે,
લાગતા વળગતા ને આવા આવાસો બનાવવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો માથે ચાર હાથ હોય પછી બીજું શું હોય….?હલકા મટીરીયલ્સના કારણે દિવાલોમાં તીરાડો પડી ગઇ છે. ભેજ ઉતર્યા કલર ઉખડ્યા દરવાજા ચડી ગયા અનેક સુવિધા અસુવિધાઓમા ફેરવાઇ છે, આથી આવાસ યોજનાની કામગીરીની તટસ્થ તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં લેવા અસંખ્ય માંગણી ઉઠી છે, વડાપ્રધાન દરેક ઘર વિહોણાને ૨૦૨૨ સુધી ઘરના ઘર આપવાના છે તો સતામંડળ મહાપાલિકા કે સુધરાઇઓ આવા આવાસ આપતા રહેશે જે સુવિધાની ખામીવાળા છે અને તે પણ જંગી ખર્ચથી બનેલા અને ફોર્મ ભરવાથી માંડી લોનમેળવવા સુધી અથડાતા કુટાતા મળેલા આવાસથી અંતે પિડાતા લોકોના જે પ્રતિભાવ છે તેવા આવાસ આપવાનો ફાયદો શુ? આ ફાયદો કોને? ખાલી રહે આવાસ ફરી ડ્રો થાય તો વળી એમને એમ ડ્રો વગર આપવા પડે વગેરે થાય છતા હજુ શા માટે ને કોના ખીસ્સા ભરવા આવાસ યોજના મંજુર થયા જ રાખે છે તે તમામ તપાસ જરૂરી છે.