Mysamachar.in-જામનગર
જામનગર મનપા દ્વારા lockdown ના બીજા તબક્કાથી શહેરીજનો વર્તમાન પરિસ્થિતિમાં નિયમોનું પાલન કરે તે માટે કમિશનર સતીશ પટેલની સૂચનાથી સોલિડવેસ્ટ શાખાના અધિકારી મુકેશ વરણવાના નેજા હેઠળ અલગ-અલગ ટુકડીઓની રચના કરવામાં આવી હતી જેમાં નિયમોનો ભંગ કરનારા લોકોને ઝડપી લેવા છ ટીમો ઉપરાંત એસ એસ આઇ દ્વારા પણ ચેકિંગની જવાબદારી સોંપવામાં આવી હતી શહેરમાં છેલ્લા 22 દિવસ દરમિયાન જે દંડની વસુલાત મનપા દ્વારા કરવામાં આવી તેમાં સૌથીવધુ માસ્ક નહિ પહેરનાર 2353, સોશ્યલ ડિસ્ટન્સ નહિ જાળવવાના 623, અને સેનેટાઈઝર અને થુંકવાના 14 આમ કુલ અત્યારસુધીમાં 29૯૦ લોકો સામે નિયમભંગ બદલ દંડની વસુલાત કરવામાં આવી છે.