Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં કોરોના પોજીટીવ કેસોની સંખ્યા ઘટવાને બદલે દિનપ્રતિદિન વધી રહી હોય તેમ લાગે છે, લોકો એ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ઘરમાં રહો સુરક્ષિત રહોના સૂત્રને વધુ બુલંદ કરવાની જરૂર છે, આજે આરોગ્યવીભાગના અગ્ર સચિત જયંતિ રવિએ રાજ્યના કોરોના પોજીટીવ કેસોની માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં કુલ 179 કેસો નોંધાયા છે, જેમાં નવા 4 કેસોના સમાવેશ સાથે અમદાવાદમાં 83, સુરત 23, વડોદરા ગાંધીનગરમાં 13-13 કેસો, ભાવનગર 16, રાજકોટ 11, કચ્છ, મહેસાણા અને ગીરસોમનાથમાં બે-બે કેસો, પોરબંદર 3, પાટણ 5, પંચમહાલ, જામનગર, મોરબી આણંદ અને સાબરકાંઠા એક એક કેસ નોંધાયા નું સતાવાર જાહેર કર્યું છે.ઉપરાંત રાજ્યમાં 16 લોકોના મોત કોરોનાને કારણે થયા નું પણ સામે આવે છે.