Mysamachar.in-જામનગર:
કોરોના મહામારીનો કપરોકાળ ચાલી રહ્યો છે, ત્યારે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ વિનામૂલ્યે સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી આપવામાં આવે છે, પરંતુ કીટ બાબતે કળા કરવાનું કેટલાક શખ્સોને શું સુજ્યું, અને ટોળકી જીલ્લાના જોડિયા ખાતે પહોચી હતી, જોડિયા ખાતે પહોચેલી ટોળકીએ ગામમાં આવેલ રુચિત શિંગાળાની પ્રોવિઝન સ્ટોર અને બાજુમાં આવેલ અન્ય પ્રોવિઝન સ્ટોરની દુકાનમા પોતે કલેકટર કચેરીમાં થી આવતા હોય અને રાશનકીટ માટે વિશ્વાસમાં લઇ જામનગરના શખ્સો વિજય જેન્તીલાલ ભોગાયતા, જીગ્નેશ જેઠાભાઈ રાજગોર અને દીપક ધનજી ભોગાયતાએ બન્ને વેપારીઓને વિશ્વાસમાં લીધા બાદ 30 કિલો મગ, 25 કિલો ચોખા અને 7 ડબ્બા તેલ એમ કુલ મળી ૧૪૦૦૦ નો સામના લઇ રૂપિયા ના આપી અને વિશ્વાસઘાત છેતરપીંડી કરતા જોડિયા પોલીસ મથકમાં ત્રણેય ઈસમો સામે ગુન્હો નોંધાયો છે.