Mysamachar.in-જામનગર
જામનગર અને ભૂમાફિયાઓને જાણે કનેક્શન થઇ ગયું હોય તેમ લાગે છે, અત્યારસુધી સામે આવતું કે કેટલીય ખાનગી માલિકીની જગ્યાઓ કોઈપણ પ્રકારે કાવતરા કરીને પચાવી પાડવામાં આવે છે, પણ આ તમામથી ઉપર જઈને જામનગરમાં સરકારી જમીન પચાવી પાડવાનું કાવતરું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, વાત એવી છે કે આરોપીઓ મનસુર મામદ સાંઇચા, આમદ ઉમર ખફી, અસગર જુમા દોદેપોત્રા, હનીફ જુમા દોદેપોત્રા, રજાક સીદીક ખીરા આ તમામ ભેગા મળીને સરકારી જમીન પચાવી પાડવાનું કાવતરું ઘડ્યું હતું,
અને કાવતરાના ભાગરૂપે નાઘેડી ગામના રેવન્યુ જુના સર્વે નં. ૧૮૭ પૈકી (નવા સર્વે નં. ૨૮૭) ની ૧૨૩ હેકટર સરકારી ખરાબાની જમીનમા આવેલ લહેર તળાવ થી ઉતર દીશામાં કોઝવે નજીક સરકારની માલીકીની પાંચ વીઘા જેટલી જમીન પચાવી પાડવા ગુન્હાહીત કાવત્રુ ઘડી કાવત્રાના ભાગરૂપે મંડળી રચી સરકારની જગ્યામાં ગેર કાયદેસર અપ-પ્રવેશ આ તમામ શખ્સો એ કર્યો હતો, અને તેઓને સરકાર ની માલીકીની જમીનમા નહિ પ્રવેશવા જણાવેલ હોય છતા બળજબરીથી જમીનમા જેસીબી મશીન ચલાવી ખેતી માટે ચોખ્ખી કરી જમીન પચાવી પાડી તથા સરકારી જાહેર નોટીશ બોર્ડ તોડી નાખી નુક્શાન કરવાનું તંત્રને ધ્યાને આવતા મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર રાકેશ પરમારે પંચકોશી બી ડીવીઝનમાં પાંચેય શખ્સો વિરુદ્ધ સરકાર તરફે ફરિયાદ આપતા પી.એસ.આઈ.જે.ડી.પરમારે આગળની તપાસ હાથ ધરતા આરોપીઓ હાથવેતમાં હોવાનું જાણવા મળે છે.