Mysamachar.in-ગાંધીનગર
કોરોનાકાળ અને લોકડાઉન વચ્ચે રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ સામે વાલીઓની ફરિયાદ ઉઠી છે કે એક તો કામધંધા બંધ થયા બાદ માંડ ખુલ્યા છે, અને ખાનગી શાળાઓ ફી ની ઉઘરાણી કરે તો કેમ ફી ભરવી…? એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ આ સવાલના જવાબમાં એટલી વાત સ્પષ્ટ કરી કે ફી માટે જો કોઈ ખાનગી શાળા દબાણ કરે તો વાલીઓએ સરકારને આ અંગે ફરિયાદ કરવી જોઈએ અને સરકાર આ શાળા સામે પગલા લેશે.