Mysamachar.in-જામનગર:
દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, અને લોકડાઉન નું કારણ સૌને ખબર છે તેમ કોરોના વાયરસને ફેલાતો અટકાવવાનું છે, આરોગ્ય વિભાગ પણ એવી સલાહ આપે છે કે વર્તમાન સમયમાં વારંવાર હાથને સ્વચ્છ કરવા જોઈએ કોરોના વાયરસ ફેલાવવાથી રોકવા માટે સૌથી વધારે અસરદાર રીતે છે પોતાના હાથોને સાફ રાખવા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે આપણે 20 સેકન્ડ સુધી હાથ ધોવા જોઈએ જેનાથી લાભ થશે. સામાન્ય રીતે આપણે હથેળીઓને એકબીજા સાથે ઘસીને પાણી નાખીને ધોઈએ છીએ. જો કોરોના જેવા વાયરસ સામે લડવું હશે તો આપણે યોગ્ય એવી દશ રીતે તબક્કામાં હાથ ધોવા જોઈએ
1-તમારા હાથોને ઠંડા કે નવાળા પાણીથી પલાળીને બંધ કરી દો
2- સાબુ કે હેન્ડવોશને હાથોમાં લઈને બંને હથેળીમાં લગાવો
3- હથેળીઓને એકબીજા સાથે રગડો અને ફીણ બનાવો
4- ફીણને હાથની ઉપરની બાજુએ લઈ જઈને બીજા હાથની હથેળીથી રગડો
5- બંને આંગળીઓના ટેરવાંને એકબીજા સામે લાવીને રગડો
6- અંગૂઠા અને આંગળીઓ વચ્ચેના ભાગને બીજા હાથે રગડો
7- હથેલીઓને બીજા હાથની આંગળીઓથી ઘુમાવદાર તરીકેથી રગડો
8- નળ ખોલીને પાણીના પ્રવાહમા સારી રીતે હાથ ધોઈ લો
9- પાણીના નળને કે ટોટીને રૂમાલ કે અન્ય કપડું લઈને બંધ કરો
10- હાથને ચોખ્ખા રૂમાવ કે એર ડ્રાયર મશીનથી સુખવો