Mysamachar.in-જામનગર:
કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે લોકોએ ચોક્કસ અને સાચી માહિતી હોય તો તે આપવા પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરવો જોઈએ પણ ખોટી માહિતી આપવા ફોન કરવાથી તમારી સામે પગલા ભરાઈ શકે છે, આવો એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે, ગોકુલનગર બંસી સ્કુલ નજીક વસવાટ કરતા ભરત ચૌહાણે જામનગર પોલીસકંટ્રોલ રૂમમાં ફોન કરી અને ટોળા એકઠા થયા છે, તેવી ખોટી માહિતી આપતા પોલીસે તેની વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.