Mysamachar.in-જામનગર:
જામનગર ખંભાલીયા હાઈવે પર નાઘેડી ગામ નજીક આવેલ માધવ ગ્રીન્સ સોસાયટીમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા, અને ત્રણ મકાનોને નિશાન બનાવીને ૩૫૦૦૦ જેટલી રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ કેટલી ચોરી થઇ છે તે સામે આવ્યું નથી,એકી સાથે ત્રણ મકાનોના તાળા તૂટતા ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ છે અને હાલ તપાસ ચાલી રહી છે.કેટલી ચોરી થઇ છે તે ફરિયાદ અને વધુ તપાસ બાદ સામે આવશે.