Mysamachar.in-જામનગર
કોવિડ-19 ના લોકડાઉન દરમ્યાન ત્રણ અરજદાર પાસેથી ડેબિટકાર્ડ નંબર તથા ઓટીપી મેળવી તેના બેંક એકાઉન્ટમાંથી રૂ. 1,48,400/- ની છેતરપીંડી કરેલ હતી બીજા ત્રણ અરજદારના અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેકશનથી રૂ.47,509 /- એમ મળી છ અરજદારના કુલ રૂ. 1.95.909 ફ્રોડથી ઉપડી ગયેલ હતા જે અનુસંધાને ડીવાયએસપી કૃણાલ દેસાઇ તથા સાયબર ક્રાઇમ સેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર યુ.એચ. વસાવાના માર્ગદર્શનથી સાયબર ક્રાઇમ સેલ જામનગર એ તપાસ કરતાં જેમાં સામે વાળાના એકાઉન્ટની માહિતી માટે જરૂરી બેંકને રિપોર્ટ કરી ફ્રોડમાં ગયેલ નાણાં હોલ્ડ કરાવી જરૂરી પત્રવ્યવહાર કરી છ અરજદારના ફ્રોડમાં ગયેલ કુલ રૂ. 1.95.909/- અરજદારના બેંક એકાઉન્ટમાં પરત જમા કરાવેલ છે. આ કાર્યવાહી સાયબર ક્રાઇમ સેલ એ.એસ.આઈ સુનીલભાઈ કાંબલીયા સી.કે.રાઠોડ, કુલદીપસિંહ જાડેજા ધીરજભાઈ ભુશા તેમજ બિપીનકુમાર દેશાણી,ધર્મેશ વનાણી વગેરે કરેલ હતી.