Mysamachar.in-જામનગર:
જેમ-જેમ નાના થી માડી મોટા એટલે કે સ્મોલસ્કેલ, મિડીયમસ્કેલ, લાર્જ સ્કેલ ઉદ્યોગો-કારખાનાના નિરીક્ષકો હવેથી ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ વિભાગ તરીકે ગણાય છે, તેની કારખાનાઓથી તેની અંદર કામ કરનારાઓની સલામતી સ્વાસ્થ્ય અને જાહેર લોકોના પણ આ કારખાનાઓથી કે કારખાના પ્રકારના એટલે મશીનરીઝ ધરાવતા કોઇપણ ક્ષેત્રોમા સલામતી સ્વાસ્થ્ય જળવાય તે માટે કોઇ અકસ્માત થાય તો તપાસ કરવી પગલા લેવા કેસ કરવા સલામતી સુવિધાના અને ઉત્પાદન નિયમોના પુરેપુરા પાલન થાય છે કે કેમ તેવી અનેક બાબતો જોવાની છે તપાસવાની છે વખતોવખત ઇન્સ્પેક્શન કરવાના હોય છે પરંતુ માટા ભાગે આ વિભાગ કઇ ઠોસ કામગીરી કરે છે તે જાહેર થતુ નથી….અને કહેવાતી મોકડ્રીલના શ્રેષ્ઠ ગુણાંકો ખરા અકસ્માત દુર્ઘટના વખતે કંઇ અસરકારક પુરવાર થતા હોતા નથી તેમ પણ જાણવા મળે છે,
ઔધોગિક સુરક્ષા અને સ્વાથ્ય નિયામક, ગુજરાત સરકારના શ્રમ વિભાગ હેઠળ કાર્ય કરે છે. સક્ષમ વહીવટ અને અસરકારક નિયંત્રણ માટે રાજયને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, આ વિભાગો સંયુકત નિયામક ઔધોગિક સુરક્ષા અને સ્વાધ્યના નિયંત્રણ હેઠળ છે. રસાયણો, કાપડ, એસ્ટેટોસ અને સિલિકાના રજકણો વગેરેની આડ અસરોનું પ્રમાણ જાણવા અને તેના પર નિયંત્રણ રાખવા માટે ઔધોગિક સ્વાચ્ય (હાઇજીન) લેબોરેટરીની સ્થાપના ઔધોગિક સલામતિ અને સ્વાથ્ય નિયામક હેઠળ કરવામાં આવી છે. વ્યાવસાયિક (ઓકયુપેશનલ) સ્વાસ્થયના નાયબ નિયામક એના મુખ્ય અધિકારી છે. એમાં આસીસ્ટન્ટ ડાયરેકટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (મેડીકલ), સર્ટીફાઇ કરનાર સર્જન અને અન્ય ટેકનીકલ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
-હેતુ અને ધ્યેય
ઔધોગિક સુરક્ષા અને સ્વાથ્યના નિયામકની કચેરીના મુખ્ય હેતુઓ અસરકારક રીતે કારખાના અધિનિયમ અને બીજા શ્રમ કાયદાઓનો અમલ કરાવીને,ઉધોગોમાં કામ કરતાં શ્રમયોગીઓની સુરક્ષા, સ્વાસ્થ્ય ,કલ્યાણ અને કાર્ય કરવાની પરિસ્થિતિની જાળવણી કરવી. શ્રમયોગીઓના હકકોની સુરક્ષા અને તેમની ફરિયાદોનો ઉકેલ લાવવાની ખાતરી કરવી. ઔધોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય પાંખ, બિન સલામત સ્થિતિઓ, કાર્યો અને સંજોગોને નિવારવા માટે નિરીક્ષણ કરે છે અને સલાહ આપે છે. જે ઉધોગોમાં જોખમી રસાયણોની પ્રક્રિયા થતી હોય, એમા નિયમિત રીતે નમૂનાઓ લઇને તથા એવી પ્રક્રિયાઓમાં જોડાયેલ શ્રમયોગીઓના નિયમિત તબીબી તપાસ દ્વારા એવા ઉધોગો ઉપર સતત ધ્યાન રાખે છે. જોખમી ઉધોગોના વધુ સધન ક્ષેત્ર માટે બનાવાયેલ હોનારત નિયંત્રણ આયોજનની મદદથી કોઇ મોટી ઔધોગિક હોનારત સર્જાતી અટકાવવાનો ઔધોગિક સુરક્ષા અને સ્વાચ્ય પાંખનો હેતુ છે. ખાસ કરીને વૈશ્વિક સ્પર્ધા અને દેશના હિતમાં ફકત શ્રમયોગીનું હિત જળવાય અને ઉધોગોનો વિકાસ થતો રહે એટલું જ નહિ, પણ પર્યાવરણીય સંતુલન જાળવવા પર્યાવરણનું પણ એટલુ જ જરુરી છે, ઔધોગિક સુરક્ષા અને સ્વાથ્ય નિયામક કચેરીનું ધ્યેય વિવિધ કાયદાનું અસરકારક અમલીકરણ અને શ્રમયોગીઓની સુરક્ષા તથા સ્વાથ્યની જાળવણી પણ ખાત્રી કરવાની છે કે શ્રમયોગી શકય એટલી સારી પરિસ્થિતિમાં કાર્ય કરે અને તેમની મૂળભૂત જરુરીયાત સંતોષાય, શ્રમયોગીઓના દુઃખ અને દર્દો દૂર કરવા અકસ્માત નિવારણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. આ હેતુ અને ધ્યેય જામનગર અને રાજકોટનીકચેરી સિધ્ધ કરે છે કે નહિ તે સૌ જાણે કે ન જાણે લગત લોકો તો જાણે જ છે.