Mysamachar.in-જામનગર
નેશનલ શિપીંગ બોર્ડએ ભારત સરકારનું સર્વોચ્ચ સલાહકાર બોર્ડ છે જે દેશના શિપીંગ વ્યવસાય સાથે જોડાયેલ વેપારીઓના પ્રશ્નો અને વિકાસ માટે કાર્યરત હોય છે. પૂર્વ ડાયરેકટર જનરલ ઓફ શિપીંગ માલીની શંકરના નેતૃત્વ હેઠળ નેશનલ શિપીંગ બોર્ડના 16 સભ્યોની નિમણૂકને તાજેતરમાં ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે.આ બોર્ડમા ડાયરેકટર જનરલ ઓફ શિપિંગ અમિતાભ કુમાર, શિપિંગ જોઇન્ટ સેક્રેટરી સતિદરપળ સિંધ, ઇંડિયન નેવી અને કોસ્ટ ગાર્ડના પ્રતિનિધી, (જે ડાયરેકટર રેન્જના હોય તે) ઉપરાંત ભારતના શિપીંગ વ્યવસાય સાથે સંકળાયેલા અલગ અલગ એસોસીએશનના 4 પ્રતિનિધીની નિમણૂક હાલમાં કરવામાં આવેલ છે.
આ બોર્ડમાં ભારતના કોસ્ટલ કન્ટેઇનર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રતિનિધી એવા જામનગરના ઉધોગપતિ અને પુષ્પક લોજીકટીક્સ પ્રા. લિ.ના મેનેજીંગ ડાયરેકટર રાહુલ ભરતભાઈ મોદીની પણ સભ્ય તરીકે નિમણુંક થયેલ છે.અત્રે ઉલ્લેખનિય છે કે જામનગર શહેર વર્ષોથી શિપીંગ વ્યવસાય સાથે સંકળાયેલ છે. ત્યારે રાહુલ મોદીની આ નિમણૂંક જામનગરના શિપીંગ ઉધોગને પણ નવો માર્ગ અને દિશા આપવામાં મદદરૂપ થશે.
જામનગરના પૂર્વ સાંસદ વિનોદરાય શેઠ આજથી 46 વર્ષ પહેલા એટલેકે 1975 -76 માં આ બોર્ડના ચેરમેન રહી ચૂક્યા છે. 46 વર્ષ બાદ જામનગરને ફરીથી નેશનલ શિપીંગ બોર્ડમાં રાહુલ મોદીએ સ્થાન અપાવ્યું છે. જે જામનગર માટે ગૌરવની બાબત છે. 1993માં 17 વર્ષ ની વયે બોકસાઈટ ના વ્યવસાયથી વ્યવસાયિક કારકિર્દી શરૂ કરનાર રાહુલ ભરતભાઈ મોદીએ 2003 થી કોસ્ટલ કન્ટેઇનર ટ્રાન્સપોર્ટ વ્યવસાય ની પણ શરૂઆત કરેલ અને ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં રાહુલ મોદીની કંપની પુષ્પક લોજીક્ટીકસ પ્રા.લી. ના નામે પરિચિત છે. રાહુલ મોદી પોતાની આગવી વ્યવસાયિક સુજ અને દીર્ધ દ્રષ્ટી થી સફળ ઉદ્યોગપતિ બની ભારત સરકારના નેશનલ શિપીંગ બોર્ડના સભ્ય બન્યા છે. જે જામનગર માટે ખૂબ જ ગૌરવની બાબત છે.