Mysamachar.in-જામનગર
વ્યવસાયના દરેક ક્ષેત્રમાં ઘણા સમયથી મંદીનો માહોલ ઉપરથી કોરોનાનો કહેર વર્તાયો જેના લીધે ટ્રક ઓનર્સ તથા ટ્રાન્સપોર્ટરોમાં ચિંતા થવી સ્વાભાવિક છે. દરેક ક્ષેત્રમાં ટ્રાન્સપોર્ટની ભૂમિકા ખુબ મહત્વની છે, પરિવહન કરતી ટ્રકો અને ટ્રાન્સપોર્ટ પોતાનું અસ્તિત્વ ટકાવવા વલખા મારી રહ્યા છે. આવા કપરા સમયે સ્પેશિયલ પ્રોત્સાહન પેકેજ આપી ટ્રાન્સપોર્ટ ઉધોગને મૃતપાય હાલતમાથી બહાર લાવવા સરકારે આગળ આવવું જોઈએ તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી યુસુફ ખફીએ કરી છે. હકીકતમાં કારખાના અને ખનન ક્ષેત્રમાં ખરાબ પ્રદર્શન કારણે છેલ્લા ધણા સમયથી દેશના ઔધોગિક ઉત્પાદન માં ઘટાડો નોંધાયો છે.
જ્યારે ઉધોગ અને વ્યવસાયના લગભગ દરેક ક્ષેત્રમાં ઉદાસી છવાયેલી હોય તેને ઉગારવા ભારત સરકારના નાણામંત્રી અનેક વિવિધપેકેજ ની જાહેરાતો કરતાં હોય તો મંદી અને કોરોનાની અસરથી ટ્રાન્સપોર્ટ ઉધોગ બચી શકે નહી, દિનપ્રતિદિન વધતી જતી ડીઝલની કિમતોમાં શેષ ધટાડો અને 6 માસ સુધી લોનમાં હપ્તા ન ભરાઈ તો વ્યાજ પેનલ્ટીમાં માફી આપવા સ્પેશ્યલ પેકેજ જાહેર કરી ટ્રાન્સપોર્ટ ઉધોગને પ્રોત્સાહન આપવા ગંભીરતા પૂર્વક વિચારી સરકાર સરકાર આગળ આવવું જોઈએ કેમ કે ટ્રાન્સપોર્ટ ઉધોગ દેશના કરોડો લોકોને રોજી રોટી પૂરું પાડતું હોય સ્તવરે રાજ્ય અને કેન્દ્ર સરકારે ટ્રાન્સપોર્ટ ઉધોગને આજના કપરા કાળ માઠી ઉગારવા મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરાઈ છે.