Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
વીજવિભાગ ની જી.ઇ.બી. માંથી કંપનીઓ થઇ અને સારી સર્વિસ મળતી થઇ હતી ત્યારબાદ ધીમે ધીમે ગેરરીતિઓ આકાર લેવા માંડતા ફરીથી ખાસ કરી પીજીવીસીએલ ના જામનગર સર્કલ ની વાત કરીએ તો ફરીથી જી ઇ બી વખતના માહોલ તરફ સરકે છે, જેના સમર્થનમા અનેક બાબતો વચ્ચે ખાસ તો વીજ ધાંધીયાની બાબત ખુબ ગંભીર છે, અને આ વીજ ધાંધીયા ટાળવા ગત વર્ષે 14 કરોડ રૂપિયાનુ આંધણ કર્યા બાદ આ વર્ષમા ફરી રૂપિયા 15 કરોડ રૂપિયાનુ આંધણ થવાનુ શરૂ થઇ ગયુ છે,
ખાસ કરીને ચોમાસા પહેલા વીજ લાઇન મેન્ટેનન્સના નામે જેને પ્રિમોન્સુન કામગીરી કહે છે તેમાં પાણીની જેમ નાણા વપરાય છે અને વરસાદ આવે એટલે તમામ ખર્ચ વરસાદી પાણીમા તણાય જતો હોય તેમ વીજ સમસ્યાઓ ત્રાહીમામ પોકારાવે છે. જે સૌનો અનુભવ છે વળી વર્ષ દરમ્યાન અનેક ગામ અનેક વિસ્તારો જાણે અણમાનીતા હોય ત્યા તો કાયમી વીજપ્રશ્નોથી લોકો ત્રાહિમામ થાય છે અને છતાય કોઇ જલદી સાંભળતુ પણ નથી,
જામનગર સર્કલના નવા અધીક્ષક આવે તે પહેલા જામનગર રૂરલ ના કાર્યપાલક ઈજનેર શાહ ચાર્જમા હતા તેના જણાવ્યા મુજબ ગત વર્ષે મેન્ટેનન્સ માટે 14 કરોડ ફાળવાયા હતા અને આ વર્ષે 15 કરોડ ફાળવાયા છે, જેમાંથી ખાસ તો પ્રિમોન્સુન કામ માટે જેવા કે ટ્રાન્સફોર્મર રીપેરીંગ-ફીડર વર્ક-તાર બદલવા-પોલ સરખા કરવા-તાણીયા બાંધવા-ગાર્ડીંગ કરવુ-સ્વીચ બદલવી-ફ્યુઝ બદલવા-અર્થીંગ યોગ્ય કરવા-લાઇન ચેક કરવી પુરવઠો ચેક કરવો-નડતા ઝાડ કે બીજા કંઇ અડચણ દૂર કરવા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે,
બીજી તરફ પ્રશ્ન એ થાય છે કે કરોડો રૂપિયાના ખર્ચ છતા સામાન્ય પવન કે વરસાદમા વારંવાર વીજ ધાંધીયા શા માટે થાય છે? અનેક સ્થળે થાંભલાઓમાં તિખારા શા માટે થાય છે? અનેક વીજ તાર વારંવાર કેમ તુટે છે? ટ્રાન્સફોર્મરોમા ફોલ્ટ વારંવાર શા માટે થાય છે? અનેક લાઇનોમાં શોર્ટ સરકીટ થી કોઇને ઇજાઓ કે પશુ મૃત્યુના બનાવો શા માટે વારંવાર બને છે? અનેક વિસ્તારોમાં અર્થીંગ શા માટે થતા જ નથી? અનેક થાંભલા શા માટે જોખમી જ રહે છે? ટ્રી કટીંગ છતા ચોમાસામા ઝાડ ભટકાવાથી વીજ પોલ અને વીજ લાઇન સાથે અથડાતા બનતા શોર્ટ સરકીટ તેમજ વીજ પુરવઠો ઠપ્પ થાય છે શા માટે?ચોમાસામા વીજ ધાંધીયાથી લોકો ત્રાહીમામ શા માટે થાય છે? અનેક વિસ્તારોમા લો વોલ્ટે જ અનેક વિસ્તારોમા વારંવાર વીજ ફોલ્ટ અનેક સ્થળોની ફરિયાદો એટેન્ડ ન થવી વગેરે બાબતો શા માટે બને છે ??
હાલના યુગમા ઘરના જરૂરી કામકાજ ઉપરાંત દુકાનો ઓફીસો દવાખાના કારખાના લેબોરેટરી ઇલેક્ટ્રોનીક્સ સાધનો અને ઇલેક્ટ્રીકલ સાધનો વીજપુરવઠા પર જ આધારીત હોઇ વિજળી ઠપ્પ થાય તો જીવનના જરુરી કામો ઠપ્પ થયા જેવુ લાગે તેવા સમયમા કરોડોના ખર્ચ બાદ પણ આ આવશ્યક સેવામા વારંવાર થતી અનેક ખામીઓને જાણકારો શંકાની નજર અને ચોખ્ખા આક્ષેપો કરવાના મુડ સાથે જુએ એ સ્વાભાવિક છે માટે ખરેખર ક્યા કેટલો ખર્ચ કર્યો તે નહી યોગ્ય કામ થયુ કે નહી તે મહત્વનુ છે પરંતુ તે પીજીવીસીએલના જાંબાઝો જોશે કે નહી? અને માત્ર નાણા વેડફી ને જ સંતોષ માનશે?