Mysamachar.in-જામનગર:
ભલે કેન્દ્ર અને રાજ્યસરકારના નેતાઓ મંદીના હોવાનો રાગાલાપ આપી રહ્યા હોય પણ વાસ્તવિકતા સૌ જાણે છે, આજે કેટલાય લોકો એવા છે કે બેકાર બેરોજગાર બની ગયા છે, ક્યાયથી કોઈ રસ્તો ના સુઝતા અંતિમ પગલું પણ ભરી લે છે, વાત છે જામનગરના નાઘેડી ફાટક નજીકની જ્યાં મહાકાળી મંદિર પાસે વસવાટ કરતા ગોવિંદભાઈ કારાભાઈ ટાંક નામના આધેડે મંદીને મારને કારણે કામધંધો બરોબર ચાલતો ના હોય ઉપરાંત આર્થિક ભીસનો સામનો કરી રહ્યા હોય તેવોએ ઝેરી દવા પી લઇ જિંદગી ટૂંકાવી લેતા પંચકોશી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.