Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં જમીન રિ-સર્વેની 90 ટકા કામગીરી ખોટી હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે ત્યારે પ્રશ્ર્ન એ છે કે અત્યાર સુધી દસ વર્ષમા જિલ્લામા તંત્રએ કર્યુ શું? વળી ખોટી માપણી અંગે ખુદ ડીઆઇએલઆર કચેરીએ સરકારમાં રિપોર્ટ કર્યો હોવા છતાં હજુ સુધી કોઇ ફેરફાર કરવામાં ન આવ્યાનું જાણવા મળે છે, જામનગર જિલ્લામાં સૌ પ્રથમ જમીન રિ-સર્વેની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ તાલીમનો અભાવ, સોફટવેરમાં ક્ષતિ, ગામમાં એક જ સ્થળ પરથી સર્વેને કારણે જિલ્લામાં 90 ટકા જમીનની માપણી ખોટી થઇ છે. ખુદ ડીઆઇએલઆર કચેરી દ્વારા આ બાબતે ગાંધીનગર રિપોર્ટ કરવામાં આવ્યો છે.
પરંતુ આજ દિવસ સુધી ગાંધીનગરથી આ બાબતે કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આટલું જ નહીં જમીન માપણીના કામગીરીમાં સુધારા કરવા ખેડૂતોએ કરેલી વાંધાઅરજીનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. આ બાબતે ડીઆઇએલઆર કચેરી અરજદારોને અરજી કરવાનું કહી ઉઠા ભણાવી રહી છે. તો આ બાબતે તાકીદે યોગ્ય પગલાં લેવા માંગણી થઇ છે, ખુબીની વાત એ છે કે સાત હજારથી વધુ અરજીઓ રીસર્વેના પણ રીસર્વે ની થઇ છે. છતાય ત્યાર બાદ એક તો ઝડપી નિકાલ નથી થયો ઉપરથી બીજીવારની માપણીઓમા પણ ભુલ રહી જાય છે તે કરૂણતા છે અને જમીન ધારકોની હાલાકી સર્જાય છે,