Mysamachar.in-જામનગર:
જ્યારે જાહેરજીવનની વાત કરીએ ત્યારે આકલન કરવા ઘણા મુદાઓથી અને અનેક પાસાઓથી જોવુ જોઇએ તો જામનગર-79 દક્ષીણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીનુ ખુલ્લી કિતાબ જેવુ જીવન હોઇ લોકો દરેક પાસાઓથી તેમને ચાહે છે કેમકે નેતૃત્વ જ માત્ર નહી દરેક સમાજ માટે દરેક વર્ગ માટે દરેક વિસ્તાર માટેની જનસેવા દિવ્યેશ અકબરીના રગ રગ મા દોડે છે માટે જ લોકપ્રિયતાની ટોચ ઉપર તેઓ છે અને દરેક વય જુથના ભાઇઓ બહેનોમા દિવ્યેશભાઇ જાણીતા છે એટલુ જ નહી નાનપણ થી લોકોના કામ કરવાનો ગુણ તેમને લોકલાડીલા યુવા નેતા અને જાગતા પ્રહરી બનાવ્યા છે. એટલુ જ નહી જનસેવા ને તેમને પર્સનલ.કામ ધંધા પરિવારથી વધુ મહત્વ આપ્યુ છે આવા અનેક પાસાઓ આ વિસ્તારમાથી જાણવા મળ્યા છે,
માટે જ 79-જામનગર દક્ષીણ માં લોકોની એકજ વાત છે આ વિધાનસભા ચુંટણી જેનુ 1 તારીખે મતદાન છે, ત્યારે ધારાસભ્ય તરીકે “અમારે હિરલો ને વિરલો દિવ્યેશ જ જોઇએ” છે હાલ જનસંપર્ક અને પ્રચાર દરમ્યાન લોકો દિવ્યેશભાઇ ને વિજયી ભવના આશીર્વાદ આપી રહ્યા છે અને હવે લોકો ગુલાલની છોળો તેમના ઉપર ઉડાડવા થનગને છે જેમાં દરેક સમાજનો સાથ સહકાર મળી રહ્યો છે તેમ પણ વિશ્લેષકોએ જાણ્યુ છે
નાની વયમા જ દિવ્યેશભાઇની સક્રિયતા અને સફળતા જોઇએ તો દિવ્યેશ અકબરીને જામનગરમાં જબરી લોક ચાહના તો છે જ કેમકે કોર્પોરેટર તરીકે પ્રજાપ્રતિનિધીનો અનુભવ તો વળી સ્ટે ચેરમેન તરીકે શાસક તરીકેનો અનુભવ અને લોકહિતના શહેરના કામો કર્યા છે માટે જ તેમને ઠેર ઠેર લોકો આવકારે છે અને હાલના કોર્પોરેટર હવે બનશે ધારાસભ્ય તેમ લોકો ઉમળકાથી જણાવે છે તેઓ માટે બહોળો મિત્ર વર્ગ અને ભાજપ સંગઠનના દરેકની જહેમતથી સૌથી વધુ લીડ મળશે તેમ ચિત્ર ઉપસ્યુ છે, આ યુવા નેતાની વિશેષતા માટે લોકોમા ચર્ચા છે કે જામનગરની જનસુવિધા કે શાસન કે પ્રશાસનની કોઈપણ પ્રકારની સમસ્યા કે ગુંચ કે અડચણ હોય તેનો ઉકેલ કરવામાં દિવ્યેશભાઇ આગવી સૂઝ ધરાવે છે તે બાબત તેમના પ્રચારમા જોડાયેલા સૌ કહે છે.,
જામનગરના શહેરીજનોમા તેઓ કેટલા લોકપ્રિય છે તેનુ ઉદાહરણ એ છે કે દિવ્યેશ અકબરીની કોર્પોરેટર ત્રીજી ટર્મ છે, 2 વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચુક્યા છે, એક વખત શાશક પક્ષ નેતા એક વખત દંડક અને સંગઠન દ્વારા ચુંટણીઓ દરમ્યાન સોંપવામાં આવતી કામગીરીમાં તેઓ સફળ રહ્યા છે માટે જ આ હીરલો ને વિરલો છે તેને લોકોએ ખભે બેસાડી લીધો છે અને 79 જામનગર દક્ષીણમાં ઠેર ઠેર બુલંદ સાદ એ છે કે ભાજપના દિવ્યેશ આવે છે યુવા નેતા વિન જ છે….
-આ તો નરેન્દ્ર મોદી અને અમીત શાહની પસંદગી છે…..”હુ વિશ્વાસ કાયમ રાખીશ દિવ્યેશ અકબરી”
ખાસ વાત એ છે કે નરેન્દ્ર મોદી અને અમીત શાહ જ્યારે ઉમેદવાર પસંદગી કરે અને ગુજરાત વિધાનસભા જ્યારે માત્ર ચુંટણી જ નહી પરંતુ પ્રતિષ્ઠાનો જંગ ગણાતો હોય તેવા વખતે 182 માથી અમુક બેઠક એવી હોય કે જ્યા થ્રુ આઉટ વિન થઇ ચુંટણીમા સાંગોપાંગ પાર નીકળે તેવા સક્ષમ અડીખમ ઉમેદવાર જોઇએ ત્યારે સૌ નાગરીકો સંગઠનના લોકો કાર્યકરો હોદેદારો પદાધીકારો ગુજરાત પ્રદેશમા તો એક જાણીતા નામ થી દિવ્યેશની લોકપ્રિયતા અને નોંધ છે ઉપરાંત વડાપ્રધાન અને ગૃહ પ્રધાને જ્યારે પસંદ કર્યા છે ત્યારે દિવ્યેશભાઇએ કહ્યુ કે હુ મારામા વિશ્વાસ મુક્યો તેને લોકોના આશીર્વાદ થી ખરો અને સાચો ઉતારીશ તે માટે મને સૌનો સહકાર મળી રહ્યો છે દરેક વર્ગ દરેક વયજુથ મારી સાથે છે તે માટે સૌનો આભાર માનુ છુ અને જનતા જનાર્દન મને જીતાડશે તેવો પુરો વિશ્વાસ અને લોકો માટે હું જેમ કોર્પોરેટર તરીકે 24 કલાક અને 365 દિવસ હાજર છું તેમ ધારાસભ્ય બન્યા બાદ પણ લોકો હાંકલ કરે અને હાજર થઇ જઈશ તેવી ખાતરી આપું છું..