Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
રાજ્યમાં કોરોના વાયરસની દહેશત છે, અને દિવસે ને દિવસે પોજીટીવ કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં કોરોના વાયરસના કેસોની વાત કરવામાં આવે તો જામનગરમાં અત્યારસુધી જામનગરમાં માત્ર એક જયારે દ્વારકા જીલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી, ત્યારે લોકડાઉન સહિતની બાબતો, ચેપ વધુ ના ફેલાય અને ગ્રાહકોને અગવડતાના પડે તે માટે તકેદારીને ભાગરૂપે હાલાર એટલે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં PGVCL પોતાના ગ્રાહકોને માર્ચ અને એપ્રિલ માસનું બીલ આ માસે ઘરે ઘરે જઈને જેમ આપતું હતું તેમ નહિ આપે, ઉપરાંત ગ્રાહકોને 15 મે સુધી બીલ ભરવાની છૂટ આપવામાં આવી હોવાનું PGVCL જામનગરના અધિક્ષક ઈજનેર એ.કે.મહેતાએ માયસમાચાર ને જણાવ્યું,
અધિક્ષક ઇજનેરના વધુમાં જણાવ્યા મુજબ ગ્રાહકોને તેની પાછલી એવરેજને આધારે આ મહીને બીલ ઇસ્યુ કરવામાં આવશે, અને પછી વધઘટ લેવી દેવીનો નિયમ રહેશે, જો કોઈ ગ્રાહકનો મોબાઈલ નમ્બર રજીસ્ટર હશે તો SMS માં બિલ ની રકમ મોકલશે તેમ પણ તેવોએ જણાવ્યું છે.ગ્રાહકોને પોતાનું બીલ અહી આપવામાં આવેલ લીંક પરથી પણ જોવા મળશે http://www.pgvcl.com/consumer/billview/index.php