Mysamachar.in-જામનગર
કોરોના વાયરસની સંભવત પરિસ્થિતિ માટે લોકોને મેડિકલ માર્ગદર્શન મળી રહે તે માટે 5 મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે, આ હેલ્પલાઇન નંબર ૬૩૫૨૬૯૧૯૩૧, ૬૩૫૨૬૯૧૯૩૨, ૬૩૫૨૬૯૧૯૩૩, ૬૩૫૨૬૯૧૯૩૪, ૬૩૫૨૬૯૧૯૩૫ મોબાઇલ નંબરો છે. આ પાંચમાં થી કોઇપણ નંબર પર સંપર્ક કરી જે તે વ્યક્તિ કોરોના અંગે માર્ગદર્શન મેળવી શક્શે. કોરોના અંગે કલેકટરે અપીલ કરી હતી કે, જરા પણ શંકા જણાતા વ્યક્તિ પોતે જ પોતાના રૂમ કે ઘરમાં ક્વોરન્ટાઇન થઈ રોગને વધુ ફેલાતા અટકાવવા માટે સહકાર આપે તેવી અપેક્ષા છે. આ રોગ ૧૪ દિવસની અંદર શરીરમાં કોઇ ને કોઇ રીતે સંકેત આપી દે છે, તેથી આ સંકેતોને નજર અંદાજ ન કરીને તુરંત જ મેડિકલ માર્ગદર્શન મેળવવું વળી વધુ લોકોના ભેગા થવાના સ્થળો પર આ ચેપ લાગવાની વધુ સંભાવના રહી છે, તેથી કલેકટર રવિશંકરે અનુરોધ કર્યો હતો કે લોકો કોઈપણ સ્થળે વધુ ભેગા ના થાય અને સ્વચ્છતાલક્ષી ધ્યાન આપી પોતે અને પરિવારને તેમજ સમાજને સુરક્ષિત રાખવામાં મદદ કરે.