Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં લાંબા સમયથી ગેરકાયદેસર નળ જોડાણ હોવાની બાબતો બહાર આવી રહી હતી તે દિશામા કામગીરી કરવાના ભાગરૂપે જામનગર કોર્પોરેશના વોટરવર્કસ અધિકારી પી.સી.બોખાણીની આગેવાનીમાં 14 ટીમોએ 4000 જેટલા ભૂતિયા નળ જોડાણ શોધી કાઢ્યા છે, જે તમામ પાસેથી દંડ અને ચાર્જ વસુલવામા આવશે, જામનગરના વોટર સપ્લાય મેનેજમેન્ટ અને જુદી જુદી કામગીરી અંગેની વિસ્તૃત વિગત આપતી વખતે નાયબ ઇજનેર પી.સી.બોખાણીએ જણાવ્યુ હતુ કે નગરજનોને શુદ્ધ ફીલ્ટર્ડ અને નિયમિત પાણી મળે રહે તે અમારે ટોચ અગ્રતા પર છે તે દિશામા કામગીરી સઘન કરવા હાલ ચોમાસાના કારણે સ્ટાફએ ખુબ મહેનત ઉઠાવવાની થાય છે જેનુ તેઓ નિયમિત મોનીટરીંગ કરી રહ્યા છે.
ઉપરાંત તાજેતરમા જે નળ જોડાણ ગેરકાયદેસર હોય તે શોધવાની સરકારની યોજના મુજબ સઘન ઝુંબેશ ચલાવાઇ રહી છે, અને 14 ટીમો રોજ જુદા-જુદા વિસ્તારમા જતા હોય અત્યાર સુધી ચારહજાર જેટલા અનઅધીકૃત નળ જોડાણ શોધી કાઢી દરેકને રૂપીયા 500 દંડ અને 100 રૂ. વાર્ષિક ચાર્જ વસુલી જોડાણ નિયમિત કરવાની આ સરકારની ખાસ સ્કીમમા કોર્પોરેશનને સાડા પાંચ લાખથી વધુની આવક થઇ છે, ખાસ કરીને નલ સે જલ સંપુર્ણ રીતે અમલ કરવા જામનગરના નવા ભળેલા વિસ્તાર તેમજ અગાઉના પણ નગરસીમ વગેરે વિસ્તાર નળ કનેક્શન વગર હતા.
તે તમામ વિસ્તારોમા પાણી નળ વાટે પહોંચાડવા તબક્કાવાર કામગીરી થઇ રહ્યાનુ જણાવી એન્જી.બોખાણી એ ઉમેર્યુ હતુ કે પાણીની નાની મોટી દરેક લાઇન સમ્પ, ઇએસઆર ફીલ્ટ્રેશન પ્લાન્ટ સહિતના જરૂરી કામો અમુક પુરા થવામા છે અમુક પ્રગતિમા છે તેથી સમગ્ર જામનગરમા દરેક ઘરમા નળ વાટે પાણી પહોંચાડવા વોટર વર્કસ ખુબ મહેનત ઉઠાવી રહ્યાનુ સમગ્ર પ્લાનીંગ કાર્યરત પ્રોજેક્ટ તેમજ થયેલા કામની સંપુર્ણ વિગતો મેળવતા જાણવા મળ્યુ છે.