Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના કે.વી.રોડની પાછળનો રસ્તો એટલે કે ત્રણ દરવાજાથી બેડીગેટ તરફ આવતા ભંગાર બજારમાં આજે સવારે 9 વાગ્યાના અરસામાં અચાનક જુનવાણી એવી ચાર દુકાનોનો ભાગ એકાએક ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે, જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ જયારે પીજીવીસીએલના ત્રણ જેટલા વીજપોલ અને એક કાર દબાઈ જતા નુકશાની થઇ છે.અને રસ્તો પર બંધ થઇ જવા પામ્યો છે.