Mysamachar.in-જામનગર:
જામનગર ગ્રામ્ય બેઠકના કોંગી ધારાસભ્ય વલ્લભ ધારવિયા એ એકાએક રાજીનામું આપી દેતા આ બેઠક ખાલી પડી અને તેમાં પેટાચુંટણી માટેનું મતદાન લોકસભાની ચુંટણી સાથે જ યોજાયું હતું,બાદમાં જયારે ગઈકાલે મતગણતરી યોજાઈ અને જે રીતે સતાવાર વિગતો પરિણામ અંગેની જાહેર કરવામાં આવી છે તે મુજબ કુલ માન્ય રહેલા ૧૫ ઉમેદવારોમા થી જામનગર ગ્રામીણ વિસ્તારમાં ૨૨૧૫ જાગૃત મતદારો જેને પોતાનો મતાધિકારનો ઉપયોગ તો કર્યો પણ તેને ભાજપ કોગ્રેસ અપક્ષ મળી કોઈ પણ ઉમેદવારની પસંદગી ના પડી હોય ૨૨૧૫ લોકોએ થયેલા મતગણતરીમા નોટા નો ઉપયોગ કર્યાનું જાહેર થયું છે.