Mysamachar.in-ગાંધીનગર
ગુજરાત વિધાનસભાના આજથી શરૂ થયેલાં પાંચ દિવસીય ચોમાસું સત્રમાં હાલ પ્રશ્નોતરી કાળમાં વિવિધ પ્રશ્નો પર સરકાર જવાબ આપી રહી છે. તેમાં ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા માર્ગ અકસ્માતમાં મોતના ચોંકાવનારા આંકડાઓ આ ચર્ચામાં જાહેર કરવામાં આવ્યા છે. જાન્યુઆરી 2015થી ડિસેમ્બર 2019 સુધીમાં 39,072 લોકોના અકસ્માતમાં મોત થયા હોવાની ચોંકાવનારી આંકડાકીય વિગતો રજૂ કરવામાં છે.
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં માર્ગ અકસ્માતોની ગૃહમાં માહિતી અપાઈ છે. જેમાં જાન્યુ.2015થી ડિસેમ્બર 2019 સુધીના અકસ્માતના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે. આંકડા પ્રમાણે વર્ષ 2015માં 8083, વર્ષ 2016માં 8011, વર્ષ 2017માં 7574, વર્ષ 2018માં 8040, વર્ષ 2019માં 7409 લોકોના માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં રોજ વાહન અકસ્માતમાં આશરે 22 લોકોના મૃત્યુ થાય છે. જ્યારે રોજ 52 જેટલા માર્ગ અકસ્માતો થાય છે. જેમાં રોજ 22 લોકોના મૃત્યુ પામે છે. આ સાથે રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 39,072 વ્યક્તિઓએ ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે.