Mysamachar.in-અમદાવાદ:
લાંચિયાઓ પર એન્ટી કરપ્શન બ્યુરોએ તવાઈ બોલાવવાની શરુઆત કરી છે, તેમાં વધુ 2 પોલીસકર્મીઓ પણ એસીબીની અડફેટ ચઢી ગયા છે, જે રીતે વિગતો પ્રાપ્ત થઇ રહી છે તે પ્રમાણે આ કેસમાં ફરિયાદીને નિશ્રેય નામની કંપની કે જે ‘કેપચા’ની કામગીરી કરે છે જે કંપની એલીસબ્રીજ, અમદાવાદ ખાતે આવેલ છે. તે કંપનીએ કરેલ ફ્રોડમાં ફરીયાદીની સીધી સંડોવણી અને જવાબદારી છે તેમ કહી આ ફરીયાદી વિરૂધ્ધ ગુનો દાખલ કરવાની અને તેમને એરેસ્ટ કરવાની વાત કરી જો તમારે આ કેસમાંથી બહાર નિકળવુ હોય તો વહીવટ કરવો પડશે…
તેમ કહી આરોપી બાદલભાઈ પચાણભાઈ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ વર્ગ-૩, એલીસબ્રીજ પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર તથા વિનોદભાઈ બાબુભાઈ વાઢેર હેડ કોન્સ્ટેબલ વર્ગ-૩, એલીસબ્રીજ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર એકબીજાના મેળાપીપણાથી ફરીયાદી પાસેથી રૂ.25,00,000/- ની માંગણી કરી રકજકના અંતે રૂ.7,00,000/- માં નક્કી થયેલ તે પૈકી આરોપીઓએ ફરીયાદીને લાંચની રકમ રૂ.2,75,000/- આપવા જણાવતા ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય અને એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ હોય જે અનુસંધાને લાંચના છટકાનું આયોજન કરતા બન્ને પોલીસકર્મીઓએ હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી લાંચ લેતા રંગેહાથે પકડાઇ જતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે.