Mysamachar.in:જામનગર
જામનગરના લાલપુર નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટ્રેકટર અને બાઇક વચ્ચે ગોઝારા અકસ્માતમાં બે યુવાનના મૃત્યુ થતા શોક મોજું ફરી વળ્યું છે, આ અંગે ટ્રેકટરચાલક કોલવા ગામના શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.લાલપુરના સૈયદના વંડામાં રહેતા સીદીકમીયા હાસમમીયા કાદરીએ લાલપુર પોલીસમાં ખંભાળીયાના કોલવા ગામમાં રહેતા રાજેશ દેવરખી કરમુરની સામે ફરીયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યા મુજબ ગતસાંજે લાલપુરના મેકરણ પેટ્રોલપંપ પાસે આરોપીએ પોતાના હવાલાનું ટ્રેકટર પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી મરણજનારને મોટરસાયકલ સાથે હડફેટે લેતા બે યુવકોના મોત નિપજયા હતા. બનાવની જાણ થતા લાલપુર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઇ વિગતો જાણીને પીએમ માટે ખસેડવા સહિતની કાર્યવાહી કરી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં લાલપુરના રેહાન અને ફેઝાન નામના લોકોના સ્થળ પર જ મોત નીપજયાનું સામે આવ્યું છે.