Mysamachar.in-ભુજ:પાટણ
રાજ્યમાં બે ગમખ્વાર અકસ્માતોની ઘટના જુદા જુદા જીલ્લાઓમાં સામે આવી છે, જેમાં કુલ ૭ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સૌ પ્રથમ કચ્છ જીલ્લામાં બનેલ ગમખ્વાર અકસ્માતની ઘટનાની વાત કરવામાં આવે તો કચ્છમાં મોડીરાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. આ અકસ્માત દેવપર નજીક થયો હતો. મળતી માહિતી પ્રમાણે નખત્રાણાના દેવપર અને ધાવડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારનાં ચાંર લોકોનાં મોત થયા છે. ટ્રકની ટક્કર બાદ કારમાં સવાર કુલ છ લોકોમાંથી ચારનાં મોત થયા છે, જ્યારે બે લોકોનાં ઈજા પહોંચી છે. મૃતકોમાં બે મહિલા, એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર નખત્રાણાનાનો ગોસ્વામી પરિવાર હોવાનું સામે આવ્યું છે.
સોમવારે મોડી રાત્રે રાધનપુરથી ચોટીલા જવા નીકળેલા ચાર જેટલા પદયાત્રીઓ શંખેશ્વર નજીક પંચાસર ગામ પાસે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવી રહેલ ઝેન ગાડીના ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી ચારે પદયાત્રીઓને હડફેટે લેતા હવામાં ફંગોળાઈ પદયાત્રીઓ પટકાયા હતા.ગાડી ચાલક અડફેટે લીધા બાદ રોકાવવના બદલે પુર ઝડપે ગાડી હંકારી હતી.શંખેશ્વરના પંચાસર નજીક હાઇવે ઉપર જઈ રહેલા પદયાત્રીઓને પાછળથી આવી રહેલા ગાડી ચાલકે અડફેટે લઈ 200 મીટર દૂર પસાર થઈ રહેલ રિક્ષાને પણ ધડાકા ભેરટક્કર મારી ગાડી પલટી મારી જતા ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં પદયાત્રી તેમ જ રિક્ષામાં બેઠેલા બાળક મળી 3ના સ્થળ જ મોત થયા હતા. ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.ગાડી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ જવા પામ્યો હતો ઘટના મામલે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી તપાસ શરુ કરી છે.