Mysamachar.in-જામનગર
છેલ્લા કેટલાય સમયથી સમગ્ર રાજ્ય સહીત જામનગર જીલ્લામાં પણ કોરોના પોજીટીવ કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે લોકોમાં એક ભય છે, અને તે ભય એ આજે કેટલા પોજીટીવ કેસો આવ્યા તેનો છે, અને સતત પોજીટીવ આંકડાઓ જોઇને લોકો પણ ચિંતામાં મુકાઈ રહ્યા છે, ત્યારે હવેથી my samachar જયારે પણ પોજીટીવ કેસોના આંકડાઓની સંખ્યા પ્રસિદ્ધ કરશે ત્યારે કેટલા દર્દીઓ સાજા થયા તેની વિગત પણ અહી પ્રસિદ્ધ કરી અને લોકોને કોરોનાના ભયમાંથી મુક્ત કરી માત્ર સાવચેતી અને સમયસર સારવાર અને પુરતી કાળજી રાખવાથી સાજા થઇ શકાય તે મેસેજ આપવાનો પણ પ્રયાસ કરશે.
જામનગર શહેરમાં ગઇકાલે નવા 123 કેસ નોંધાયા હતા. જે સામે 54 દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી. તેવી જ રીતે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં 98 નવા કેસ નોંધાયા હતા. જે સામે 90 દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. તો આજે જામનગર શહેરમાં 174 દર્દીઓનો રીપોર્ટ પોજીટીવ આવ્યા તો 75 દર્દીઓને હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા તો જામનગર જીલ્લામાં 122 રીપોર્ટ પોજીટીવ આવ્યા તો 72 ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.