Mysamachar.in-સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી ભૂકંપના આંચકાઓ સતત આવી રહ્યાનું સતાવાર વેબસાઈટ પર સામે આવી રહ્યું છે, જેમાં સૌથી વધુ 7 આંચકાઓ પોરબંદર પંથકમાં નોંધાયાનું જાણવા મળે છે, જયારે જામનગર જીલ્લાના લાલપુરમાં 2 આંચકાઓ કચ્છના દુધઈ નજીક પણ એક આંચકો નોંધાયો છે, નોંધાયેલા આંચકાઓની તીવ્રતા અને કેન્દ્રબિંદુ અલગ અલગ છે. જો કે આ ધરતીના પેટાળમાં હિલચાલને પગલે આ સામાન્ય આંચકાઓ આવ્યા હોવાનું જાણકારો કહે છે.પરંતુ એક જ દિવસમાં 10 આંચકાઓની વણજાર વિચારતા કરી દે તેવી છે.