Mysamachar.in-ગાંધીનગર:
સરકારી નોકરીઓમાં તગડો પગાર છતાં પણ પેટના ભરાતા કેટલાય તોડબાજ કર્મચારીઓ લાંચની માંગની કરે છે, અને ક્યારેક અરજદારનો મુડ બગડે અને એસીબીમાં ફરિયાદ થાય તો લાંચિયાઓ પર કાર્યવાહી પણ થાય છે, તાજેતરમાં જ ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં કેટલાય પોલીસ કર્મીઓ લાંચ લેતા ઝડપાયા તેની સામે ગૃહ વિભાગે આકરા પગલા ભર્યા છે,
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ ભ્રષ્ટાચાર સામે ઝુંબેશને સખ્ત રીતે ચાલુ રાખતાં લાંચ લેતા પોલીસોની દૂરના સ્થળે બદલી કરીને સસ્પેન્ડ કરી સબક શીખવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, રાજયના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા અને લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયેલા 10 પોલીસ કર્મચારીઓને કોસો દુર બદલીઓ કરી દેવાઈ છે,
એસીબીના હાથે ઝડપાયેલા 10 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. આ તમામની સાગમટે દૂરના સ્થળે બદલી કર્યા પછી તમામ પોલીસ કર્મચારીઓને સંબંધિત સ્થળે હાજર થયા બાદ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાના આદેશો પણ કર્યા છે. જેની બદલીઓ ક્યાય દુર કરવામાં આવી છે તેમાં પ્રભુદાસ ડામોરની અમદાવાદથી ડાંગ બદલી કરાઈ છે. ક્રિશ્ના બારોટના ગાયકવાડ હવેલીથી પોરબંદર, દિલીપચંદ્ર જી બારોટની પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બદલી કરવામાં આવી છે. સુભાષ શર્માની આણંદથી ભાવનગર, હીરાભાઈ પરમાભાઈની
બાકોર પોલીસ સ્ટેશન (મહિસાગર)થી પોરબંદર, નારણ ભરવાડની ખેડાથી પોરબંદર, આલાભાઈ જેઠાભાઈ ખેડાથી પોરબંદર, પ્રવિણ ચંદ્રાલાની હળવદ પોલીસ સ્ટેશનથી છોટા ઉદેપુર, કિરિટીસિંહ ઝાલાની વાંકાનેરથી તાપી, રવિન્દ્ર ચૌહાણની બગવદરથી તાપી બદલી કરવામાં આવી છે. દિલીપચંદ્ર બારોટ રૂ. 100, સુભાષ શર્મા રૂ. 500, હીરાભાઈ પરમાભાઈ રૂ. 2500, નારણ ભરવાડ રૂ. 10,000, આલાભાઈ જેઠાભાઈ રૂ. 10,000, પ્રવિણ ચંદ્રાલા રૂ. 40,000, કિરીટસિંહ ઝાલા રૂ. 50,000 અને રવિન્દ્ર ચૌહાણ રૂ. 60,000ની લાંચ લેતા ઝડપાયા હતા.