Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં હાલ આંતરિક પરિવહન માટે સીટી બસ સેવા કાર્યરત છે, પણ તેમાં આગામી સમયમાં વધારો થશે આજે સ્ટે.ચેરમેન સુભાષ જોશીના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક મહત્વનો નિણર્ય લેવામાં આવ્યો છે, સીએમ અર્બન બસ પ્રોગ્રામ હેઠળ 10 CNG બસ જામનગર શહેરમાં પી.પી.ઈ ધોરણે શરુ કરવા માટે વાર્ષિક 86.40 લાખ મંજુર કરવામાં આવ્યા છે, મંજુર થયેલ બસો જે તે પાર્ટી દ્વારા શરુ કરવામાં આવશે, મહત્વનું છે કે વાતાવરણમાં પ્રદુષણ ઓછું કરવા માટે CNG વાહનોને વધુ મહત્વ આપવામાં આવતું હોય છે.આ અંગે સુભાષ જોશીએ માયસમાચાર સાથેની વાતચીતમાં કહ્યું કે આ દરખાસ્તને આજે મંજુર કરી દેવામાં આવી છે અને ઝડપભેર તેની અમલવારી ચાલુ થાય અને લોકોને સુવિધામાં વધારો થાય તેવા અમારા પ્રયાસ છે.